મારી ભાભી ઈચ્છે છે કે હું તેને સપોર્ટ કરું જેથી તે મા બની શકે,મારે શું કરવું જોઈએ?... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
Article

મારી ભાભી ઈચ્છે છે કે હું તેને સપોર્ટ કરું જેથી તે મા બની શકે,મારે શું કરવું જોઈએ?…

Advertisement

સવાલ.હું પરિણીત માણસ છું લગ્નને 8 વર્ષ થઈ ગયા છે 7 વર્ષનું બાળક છે હું મારા બાળક અને પત્નીને ખૂબ પ્રેમ કરું છું મારી સમસ્યા મારા દૂરના સંબંધીની ભાભી સાથે છે તેમના લગ્નને 10 વર્ષ થઈ ગયા છે.

પરંતુ તેઓ હજુ સુધી મા બનવાનું સુખ પ્રાપ્ત કરી શક્યા નથી મેડિકલ તપાસમાં ભાભીના પતિમાં ઉણપ જોવા મળી છે ભાભી ઈચ્છે છે કે હું તેમને સાથ આપું જેથી તેઓ મા બનવાનું સુખ મેળવી શકે મને ખબર નથી કે શું કરવું સલાહ આપો?

જવાબ.જો તમે તમારા દાંપત્ય જીવનમાં ખુશ છો તો શા માટે બેસીને તમારું દાંપત્ય જીવન બરબાદ કરવા માંગો છો તારી ભાભીને મા બનવાનો તારો પ્રસ્તાવ સાવ ખોટો છે આમ કરવાથી તમારું હસવું-રમતું ઘર બરબાદ થઈ જશે જ્યાં સુધી ભાભીની માતા બનવાની વાત છે.

તેમના માટે IVF જેવા તબીબી વિકલ્પો ઉપલબ્ધ છે તેઓ આ ઉપાય અપનાવી શકે છે આનાથી તમારા સુખી પરિવારમાં કોઈ નુકસાન નહીં થાય અને તમારી ભાભી પણ મા બનવાની ખુશી મેળવી શકશે.

ભાભીના પ્રસ્તાવને ભૂલીને પણ સ્વીકારશો નહીં આનાથી તમારા પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં તિરાડ તો આવશે જ પરંતુ તમારા દૂરના ભાઈ સાથેના સંબંધો બગડતા પણ સમય નહીં લાગે.

સવાલ.હું 45 વર્ષની છું મેનોપોઝના તબક્કામાં પ્રવેશી ચૂકી છું હું મુખની દુર્ગંધથી પરેશાન છું યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.મોંમાં દુર્ગંધ આવવાની સમસ્યામાં મોટે ભાગે સડેલા દાંત મહત્ત્વનો ભાગ ભજવે છે આ ઉપરાંત પેઢાંના રોગ ગેસ્ટ્રોઈન્ટેસ્ટિનલ સમસ્યા જેવા કારણો પણ હોઈ શકે છે ખાંડ ધરાવતા કેટલાક આહારને કારણે બેક્ટેરિયા થવાની સંભાવના છે.

અને રાત્રે ઉંઘ દરમિયાન આ સમસ્યા વકરે છે આથી રાત્રે સૂતા પહેલા બ્રશ કરવાની આદત પાડો માઉથવૉશને કારણે આ સમસ્યા કામચલાઉ દૂર થઈ શકે છે.

પરંતુ આ કાયમી ઉપાય નથી તમારે તમારા ડેન્ટિસ્ટની સલાહ લેવાની જરૂર છે તમારી આ સમસ્યા મેનોપોઝ દરમિયાન થતા હાર્મોનના ફેરફારને કારણે પણ હોઈ શકે છે આથી ડૉક્ટરનો સંપર્ક કરીને યોગ્ય ઉપચાર કરાવો.

સવાલ.હું 24 વર્ષની નોકરિયાત યુવતી છું એક વર્ષ પહેલા એક પુરુષ સાથે મારો પરિચય થયો હતો તે મારી સાથે લગ્ન કરશે એવી મને ધારણા હતી અમારી વચ્ચે શારી-રિક સં-બંધ પણ હતો એ પુરુષે બીજી સ્ત્રી સાથે સગાઈ કરી છે આ કારણે હું ઘણી દુ:ખી થઈ છું હું તેને ભૂલી શકતી નથી યોગ્ય સલાહ આપશો.

જવાબ.આમા ભૂલ તમારી જ છે તેણે તમને કોઈ પ્રકારનું વચન આપ્યું નહોવા છતા તમે લગ્નની આશા રાખીને બેઠા હતા તમારો આ સંબંધ હતો ત્યારે તમે બંનેએ એનો આનંદ માણ્યો હતો અને હવે તે તમને ભૂલીને તેની જિંદગીમાં આગળ વધી ગયો છે.

તો તમારી પાસે પણ એ જ રાહ અપનાવવા સિવાય બીજો વિકલ્પ જ નથી તેણે તમને કોઈ પણ વચન આપ્યું નહોતું આથી તમે તેની પાસે કોઈપણ પ્રકારની અપેક્ષા રાખી શકો નહીં આથી દુ:ખી થવાને બદલે તેની ભૂલી જઈ તમારું જીવન નવેસરથી શરૂ કરો.

સવાલ.હું 21 વર્ષનો કુંવારો યુવક છું મને રોજ હસ્તમૈથુન કરવાની આદત છે મને લાગે છે કે આ કારણે હું પાતળો થતો જાઉં છું આની અસર લગ્ન પછી મારી સે-ક્સલાઈફ પર પડશે એવો મને ડર લાગે છે આથી યોગ્ય સલાહ આપશો.

જવાબ.હસ્તમૈથુન એ મૈથુનનો જ એક પ્રકાર છે સે-ક્સ કરવાથી કોઈ પાતળું થતું નથી એજ પ્રમાણે હસ્ત મૈથુનથી પણ કોઈ પાતળું થતું નથી ડૉક્ટરોના મત પ્રમાણે હસ્તમૈથુનના અનુભવથી સં-ભોગ સારી રીતે થઈ શકે છે.

આની અસર તમારી સે-ક્સ લાઈફ પર પડે તેમ નથી જો કે કોઈ પણ બાબતની અતિશયોક્તિ હાનીકારક છે આથી તમારે પણ તમારા મન પર કાબુ મેળવવો જોઈએ આથી ગલત વિચારો છોડીને સારા કામમાં ચિત્ત પરોવો મનની શાંતિ માટે યોગાસનો કે મેડિટેશન કરો અને સારું વાંચન કરો.

સવાલ.હું મારી પડોશમાં રહેતા એક યુવકના પ્રેમમાં છુ મારી ઉંમર 19 વર્ષની છે તે મને પ્રેમ કરે છે કે નહીં એ હું જાણતી નથી અમે હજુ સુધી એકબીજા સાથે વાતો પણ કરી નથી પરંતુ રોજ તેને જોવા માટે મારા ઘરની ગેલેરીમાં ઊભી રહું છું.

રસ્તા પર સામસામા થઈએ ત્યારે માત્ર સ્મિત ફરકાવવા જેટલો અમારી વચ્ચે સંબંધ છે મારે તેની સાથે વાત કરીને તેને મારો મિત્ર બનાવવો છે છેલ્લા ચાર વર્ષથી હું મનોમન તેને પ્રેમ કરું છું યોગ્ય માર્ગદર્શન આપશો.

જવાબ.છેલ્લા ચાર વર્ષથી એટલે તમે ચૌદ વર્ષના હતા ત્યારથી એ યુવકને તમે પ્રેમ કરો છો આ ઉંમર પ્રેમની ગંભીરતા સમજી શકે તેવી નથી આ ઉંમરે મુગ્ધાવસ્થાનું આકર્ષણ કામ કરે છે જેને કારણે પાછળથી પસ્તાવાનો વારો આવે છે.

તેની સાથે માત્ર મૈત્રી બાંધવાનો તમારો વિચાર સારો છે તમારા બંનેના કોઈ કોમન મિત્ર દ્વારા તેની સાથે વાતચીત શરૂ કરો અને એકબીજાનો સંપૂર્ણ પરિચય થયા પછી આગળ વધો તમારી ઉંમર હજુ ઘણી નાની છે આથી ઉતાવળ કરતા નહીં તમારી જાતને પૂરતો સમય આપો.

સવાલ.હું 29 વર્ષની છું મારે 14 મહિનાનો પુત્ર છે જેને હજુ સુધી હું સ્તનપાન કરાવું છું મારી નોર્મલ ડિલિવરી હતી પરંતુ એ પછી છ મહિના સુધી મને થોડો રક્તસ્ત્રાવ થયો હતો પરંતુ હજુ સુધી મને માસિક આવ્યું નથી તાજેતરમાં મેં પ્રેગનન્સી ટેસ્ટ કરાવી હતી તેનું પરિણામ પણ નેગેટિવ આવ્યું હતું આ કારણે મને ઘણી ચિંતા થાય છે યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.સ્તનપાન કરાવે ત્યાં સુધી મોટાભાગની સ્ત્રીઓને માસિક આવતું નથી હજુ સુધી તમે તમારા સંતાનને સ્તનપાન કરાવો છો એ વાત સારી છે જો કે આ સાથે સાથે તેને થોડો આહાર આપવાની પણ જરૂર છે આ સમય દરમિયાન પણ ગર્ભ રહેવાની શક્યતા હોવાથી તમારે સંતતી નિયમનનું કોઈ સાધન વાપરવાની જરૂર છે આ બાબતે ડૉક્ટરની સલાહ લઈ આગળ વધો.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button