માં મોગલની કૃપાથી યુવકને મળી ગઈ નોકરી, તો યુવક માં ના દર્શન કરવા માટે પોહચ્યો મંદિરે, અચાનક થયું એવું કે….

માં મોગલ ભક્તોની દરેક મનોકામના પૂરી કરે છે.આજની તારીખે પણ મોગલ ધામ માં એક રૂપિયાની પણ ભેટ કે પૈસા લેવામાં આવતી નથી. અહીં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. આ દરેક ભક્તોને પ્રસાદી પૂરી પાડવામાં આવે છે. એક પણ વ્યક્તિ એવો નહીં હોય કે જે ભૂખ્યા પેટે પોતાના ઘરે પરત ફર્યો હોય. આ માં મોગલ ની માયા નથી તો શું છે.
માં મોગલના આશીર્વાદ માત્રથી અહીંના અન્નક્ષેત્રો ભરાયેલા રહે છે અને મોટી સંખ્યામાં લોકોને ભોજન કરાવવામાં આવે છે.માતા મોગલના પરચા અપરંપાર છે. ભક્તો માતાનું સ્મરણ કરે ત્યાં જ માતા ભક્તોના દુખડા હણી લે છે. આજ સુધી લાખો લોકોને માતાએ પરચા આપ્યા છે. માતાએ તેમના ભક્તની દરેક પીડા અને દુખડા દૂર કર્યા છે. કહેવાય છે કે ભક્ત હજુ તો માતાનું નામ લે ત્યાં સમસ્યા દૂર થઇ જાય છે.
આજે અમે તમને આવોજ એક પરચા વિશે જાણવા જઈ રહ્યા છે જેમાં એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે આવ્યો હતો. આ યુવકે માં મોગલ ની પાસે માનતા રાખી હતી કે, જો તેને નોકરી મળશે તો તેનો પહેલો પગાર માં મોગલના ચરણોમા અર્પણ કરીશ. માં મોગલ એ થોડા સમયમાં જ આ યુવકની માનતા પૂરી કરી હતી અને યુવકને નોકરી લાગી ગઈ હતી.
યુવકને નોકરી લાગી ગઈ હતી ત્યાર પછી યુવકને જ્યારે પહેલો પગાર આવ્યો.ત્યારે પોતાની માનતા પૂરી કરવા માટે માં મોગલ ધામ કબરાઉ ધામ પહોંચી આવ્યો હતો. અને ત્યારે આ યુવકે મણિધર બાપુને પોતનો પગાર આપ્યો અને કહ્યું મારો આખો પહેલો પગાર માં મોગલ ના ચરણે ચઢાવવા માટે આવ્યો છું.
યુવકે તેની પગારના બધા પૈસા મણીધર બાપુના હાથમાં આપ્યા હતા અને મણિધર બાપુએ તે આપેલા પૈસાની અંદર એક રૂપિયા ઉમેરીને યુવકને બધા પૈસા પાછા આપ્યા અને કહ્યું કે માં મોગલ એ તારી માનતા સ્વીકારી લીધી છે મા તો આપનારી છે. માં મોગલને આ રૂપિયાની કોઈ જરૂર નથી. માં તો માત્ર ભાવના ભૂખ્યા છે.
હાલમાં આવોજ એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં માં ના આશિર્વાદ થી એક મહિલા ના દુઃખ દૂર થયા છે. જણાવી દઈએ કે એક મહિલાની માતા ને સતત પગ નો દુખાવો હતો. જેના કારણે અનેક દવા કરવા છતા પણ જ્યારે માં ની વેદના ઓછિ ના થઈ.
ત્યારે મહિલાએ માં મોગલ ને માનતા કરી અને સાજા થવા પર સોનાની વીંટી ચડાવ્વાની વાત કરી.જોકે માનતા ના થોડા જ દિવસ માં ચમત્કાર થયો અને યુવતી ની માંને સારું થતાં તે જ્યારે કબરાઉ ધામમાં વિરાજમાન માં મોગલ ના મંદિર ગયા અને મણીધર બાપુને વીંટી આપી જે બાદ મણીધર બાપુએ વીંટી લઈને મહિલા ને પરત કરી કહ્યું કે માં મોગલે તારી વીંટી સ્વિકાર લીધી છે. લે હવે આ વીંટી પરત લઈજા.