શુ સે-ક્સ પાવર વધારવાની દવાઓનો ઉપયોગ કર્યા બાદ એને લેવાનું બંધ કરી દઈએ તો ઉત્તેજના માં કમી આવી જાય..

સવાલ.હું 18 વર્ષની છું મને એક ખ્રિસ્તી યુવક સાથે પ્રેમ છે પરંતુ હું તેને મારા મનની વાત જણાવી શકતી નથી અને બંને એક જ વિસ્તારમાં રહીએ છીએ આથી એકબીજાના પરિવારને ઓળખીએ છીએ આ ઉપરાંત પરીક્ષા દરમ્યાન હું ઘણી નર્વસ થઈ જાઉં છું આની અસર મારા પરિણામ પર પણ પડે છે યોગ્ય માર્ગદર્શન આપશો. એક યુવતી (સુરત)
જવાબ.સૌ પ્રથમ તો તમારે અભ્યાસમાં ધ્યાન આપી સારું પરિણામ લાવવાની જરૂર છે બીજું તમે જે યુવકના પ્રેમમાં છો એની સમક્ષ તમારે તમારી લાગણી વ્યક્ત કરવાની જરૂર છે આ માટે તમે કોઈ કોમન મિત્રની મદદ લઈ શકો છો.
અથવા તમે જાતે હિંમત એકઠી કરીને તેની સમક્ષ તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો જો કે તમારી ઉંમર જોતા હમણા તમારે ભણવામાં વધુ ધ્યાન આપવું જોઈએ અને એ યુવક સાથે મૈત્રી સંબંધ બાંધો અને આ મૈત્રીને હમણા પ્રેમનું નામ આપે નહીં હજુ તમારી ઉંમર નાની છે અને એ યુવક તમને પ્રેમ ન કરતો હોય એવી શક્યતા નકારી કઢાય તેમ નથી આ ઉંમરે કોઈ ઉતાવળિયો નિર્ણય લેવાઈ જાય તો ભવિષ્યમાં પસ્તાવાનો વારો આવે છે.
સવાલ.હું 37 વર્ષની પરિણીતા છું મારા પતિએ અમારા 13 વર્ષના પુત્રના મારી વિરુધ્ધ કાન ભંભેર્યા હોવાતી તે મને ગણકારતો નથી અને હું કડક વલણ અપનાવું તો તે દિવસો સુધી મારી સાથે બોલતો નથી મારે શું કરવું એની મને સમજ પડતી નથી.એક મહિલા (અમદાવાદ)
જવાબ.તમારા પુત્રને તમારી વિરુધ્ધ ઉશ્કેરવાનું કારણ શું છે?શું તમે એ કારણ છૂપાવ્યું છે કે પછી તમારા પતિનો સ્વભાવ જ આવો છે શિસ્તનો પ્રશ્ન છે તો તમારે તમારા પુત્રને કાબુમાં રાખવો જ પડશે.
તમે જરા પણ નરમ વલણ અપનાવશો તો તમારે જીવનભર એનું પરિણામ ભોગવવું પડશે તમારા પતિ સાથે પણ તેમના આ વર્તનની ચર્ચા કરો તેમની સાથે વાત કર્યા વિના તમે તમારી સમસ્યાનું નિરાકરણ મળી શકે તેમ નથી.
સવાલ.મેં 3 મહિના માટે ઉત્તેજનાની દવાઓનો ઉપયોગ કર્યો પછી તેને બંધ કરી દીધું તે પછી મને સમજાયું કે મારી ઉત્તેજના પહેલાથી પણ ઓછી થઈ ગઈ છે શું તે શક્ય છે કે એકવાર દવાનો ઉપયોગ કરવામાં આવે પછી તેને બંધ કર્યા પછી ઉત્સાહમાં ઘટાડો થાય?એક યુવક(આણંદ)
જવાબ.કોઈપણ ઉત્તેજના વધારનારની અસર ચોક્કસ સમય સુધી જ રહે છે ઉદાહરણ તરીકે સિલ્ડેનાફિલ 4 થી 6 કલાક સુધી વર્ડેનાફિલ 10 થી 12 કલાક અને ટાડાલાફિલ 16 થી 18 કલાક સુધી ચાલે છે.
સાચી વાત તો એ છે કે આ દવા ઈચ્છા નથી વધારતી પણ ટેન્શન વધારે છે જે ઘણું આવ્યું છે જો કોઈ વ્યક્તિને 25 ટકા તણાવ આવે છે તો આ દવા તેને 95 ટકા સુધી વધારી શકે છે આમાંથી એક દવા 24 કલાકમાં માત્ર એક જ વાર લેવી જોઈએ.
સવાલ.હું 23 વર્ષની અવિવાહિત કોલેજિયન યુવતી છું ગુપ્તાંગ પર ઉગતા વાળની સમસ્યાથી હું પરેશાન છું મારા લગ્નની વાત ચાલે છે પરંતુ આ કારણે હું ઘણી પરેશાન છું વાળ દૂર કરવાનો કોઈ ઉપાય દર્શાવવા વિનંતી.એક યુવતી (ભૂજ)
જવાબ.અણગમતા વાળ દૂર કરવા માટે તમે કોઈ હેર રિમૂવિંગ લોશન કે લેડિઝ રેઝર વાપરી શકો છો.
સવાલ.હું 22 વર્ષનો છું મારી સગાઈ થયે એકાદ વર્ષ થયું છે હું અને મારી ફિયાન્સી એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ અમે જાતીય સંબંધ બાંદ્યો નથી સે-ક્સ વિશે અમને જાણ છે.
અમે એકાદ બે વાર પહેરેલે કપડે સે-ક્સ માણ્યું છે શું આથી ગર્ભ રહેવાની શક્યતા ખરી મારી ફિયાન્સીને તે ચરમ સીમા સુધી પહોંચી છે કે નહીં એની ખબર પડતી નથી અમારા લગ્નને હજુ એકાદ-દોઢ વર્ષની વાર છે લગ્ન પહેલા અમારે શારી-રિક સં-બંધ બાંધવો નથી યોગ્ય માર્ગદર્શન આપશો. એક યુવક (વડોદરા)
જવાબ.કપડા પહેરી સે-ક્સ માણવાથી ગર્ભ રહેવાની શક્યતા પાંખી છે પરંતુ મન પર કાબુ ન રહેતા શરીર સંબંધ બંધાવાની શક્યતા છે આથી તમે જે કરો તે સમજી વિચારીને જ કરજો તમારે તમારી પસંદ ના પસંદની ચર્ચા કરવાની જરૂર છે તે જે ક્રિયાઓથી ઉત્તેજિત થતી હોય એવી ક્રિયાઓ કરો એક સમયે એને અહેસાસ થશે કે બસ આનાથી વધુ હવે કંઈ નહીં જોઈએ આ જ ક્લાઈમેક્સ પરાકાષ્ઠાં કે ચરમસીમા છે સુખ અને સંતોષનો અનુભવ મનમાં થાય છે.
સવાલ.હું 15 વર્ષની છું મને પગના દુ:ખાવાની સમસ્યા છે આ માટે હું દર્દ નિવારક ગોળીઓ લઉં છું પરંતુ દવાની અસર ઓસરી જતા જ દુ:ખાવો શરૂ થઈ જાય છે ડૉક્ટરની દવાથી પણ ફાયદો થયો નથી યોગ્ય સલાહ આપવા વિનંતી.એક વિદ્યાર્થીની (સુરત)
જવાબ.નબળાઈને કારણે તમારા પગ દુ:ખતા હોવાની શક્યતા છે કેલ્શિયમ વિટામીન્સ તેમ જ લોહ તત્ત્વની ઉણપને કારણે આમ થઈ શકે છે સંતુલિત આહાર લો આહારમાં લીલા શાકભાજીનં પ્રમાણ વધારી દો આ ઉપરાંત દૂધ અને દહીં પણ પુષ્કળ પ્રમાણમાં લો ડૉક્ટરનીસલાહ લઈ બ્લડ ટેસ્ટ કરાવો અને તેમની સલાહ લઈ દવા લો.
સવાલ.હું 32 વર્ષની વિવાહિત મહિલા છું મને બે સંતાન છે માસિક ધર્મ પહેલા મને થકાવટનો અનુભવ થાય છે તેમ જ મન ભિન્ન રહે છે અને માનસિક તણાવનો અનુભવ થાય છે આ કારણે પતિ અને બાળકો પર અકારણ ગુસ્સે થઈ જવાય છે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.એક મહિલા (મુંબઈ)
જવાબ.આ સમસ્યાને તબીબી ભાષામાં પ્રી મેન્સ્યુટુઅલ સિન્ડ્રોમ કહે છે આ સમસ્યા સામાન્ય છે આમાંથી બચવા માટે વ્યાયામ ઉપયોગી થઈ શકે છે તાજી હવામાં ચાલવાનું રાખો રોજ પૌષ્ટિક આહાર લો ફણગાવેલા કઠોળ તાજા ફળ શાકભાજી સોયાબીન જેવા પદાર્થોનો આહારમાં સમાવેશ કરો પાણી ખૂબ જ પીઓ ચા-કૉફીનું પ્રમાણ ઘટાડી દો સંગીત સાંભળો મેડિટેશનચ પણ તમને ઉપયોગી થશે.