હું 42 વર્ષનો છું, મારે એ જાણવું છે કે પુરુષમાંથી સ્ત્રી બની શકાય કે નહીં અને જો શક્ય હોય તો કેટલો ખર્ચ થાય?... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
Article

હું 42 વર્ષનો છું, મારે એ જાણવું છે કે પુરુષમાંથી સ્ત્રી બની શકાય કે નહીં અને જો શક્ય હોય તો કેટલો ખર્ચ થાય?…

Advertisement

સવાલ.મારી ઉંમર ૫૫ વર્ષની છે. તમે રસાયણ ચૂર્ણ એક સારું ટૉનિક છે એમ જણાવ્યું હતું. તો એ ક્યારે, કેટલી માત્રામાં અને કઈ રીતે લઈ શકાય એ વિશે જણાવશો.

જવાબ.રસાયણ ચૂર્ણ એક રસાયણ છે. રસાયણ એટલે રોગનો નાશ કરે, બુઢાપો મોડો લાવે અને જવાની ટકાવી રાખે. રસાયણ ચૂર્ણ એટલે ગળો, ગોખરુ અને આમળાં. ગળો શક્તિપ્રદ છે. ગોખરુ યુરીન સિસ્ટમ માટે સારું છે અને પેશાબ સાફ લાવે છે. તાજેતરમાં પુરવાર થયું છે કે એમાં નેચરલ પુરુષ-હોર્મોન (ટેસ્ટોસ્ટેરોન) પણ છે. આમળાં વાત, પિત્ત અને કફ ત્રણેય દોષનો નાશ કરનારું ઉત્તમ સત્ત્વ છે એટલે જવાનથી માંડીને વૃદ્ધ સુધી દરેક વ્યક્તિ એ લઈ શકે છે. આ ચૂર્ણ દિવસમાં એક ચમચી નરણા કોઠે લીધું હોય તો બસ છે. ઋષિ વાત્સ્યાયનના મત પ્રમાણે જવાની ૧૭ વર્ષથી શરૂ થાય છે અને ૭૦ વર્ષે પૂરી થાય છે.

સવાલ.હું ૧૯ વરસની છું. મને સ્વપ્નદોષની સમસ્યા સતાવે છે. છેલ્લા એક વર્ષથી હું આ સમસ્યાથી પીડાઉ છું. પહેલા મને હસ્ત-મૈથુનની આદત હતી. જે મેં છોડી દીધી છે. મારી આ સમસ્યા દૂર કરવાનો ઉપાય જણાવવા વિનંતી.

જવાબ.સ્વપ્નદોષ એ મૈથુનનો જ એક પ્રકાર છે. તમને કોઇ બીમારી નથી. ચિંતા કરવાની જરૂર નથી. હસ્ત-મૈથુનની આદત હતી ત્યારે તમને સ્વપ્નદોષ થતો નહોતો. આ આદત બંધ કરી દેતા મનનો આવેગ સ્વપ્નદોષ દ્વારા દૂર થાય છે. આ સમસ્યા નથી અને આની કોઇ દવા નથી.

સવાલ.મારી ઉંમર ૪૨ વર્ષની છે. હું મિડલ ક્લાસનો ગુજરાતી માણસ છું. મારે એ જાણવું છે કે પુરુષમાંથી સ્ત્રી બનવું શક્ય છે કે નહીં અને જો શક્ય હોય તો કેટલો ખર્ચ થાય?

જવાબ.ઘણી વ્યક્તિઓમાં એવું બનતું હોય છે કે તેમનું શરીર સ્ત્રીનું હોય, પણ ભગવાને કદાચ ઉતાવળમાં તેમનામાં દિમાગ પુરુષનું મૂકી દીધું હોય. આવી અવસ્થામાં વ્યક્તિ ખૂબ જ બેચેની અનુભવે છે અને એના ઉપાયના વિકલ્પ તરીકે જાતિબદલના ઓપરેશનને છેલ્લે મૂકી શકાય.પુરુષમાંથી સ્ત્રી બનવું સહેલું નથી, પણ ડૉક્ટર મહેનત કરે તો બનાવી શકાય છે. જોકે પુરુષમાંથી સ્ત્રી બનતાં પહેલાં સાઈકિયાટ્રિસ્ટને મળવું પડે. તે તમારી માનસિક સ્થિતિ બરાબર છે કે નહીં એ લાગલગાટ તપાસ કરી પછી તમારો કેસ કોઈ સારા પ્લાસ્ટિક સર્જયને સુપરત કરી શકે. એમાં એક નહીં પણ બે સાઈકિયાટ્રિસ્ટને બતાવવું પડે.

ઘણી વાર જો વ્યક્તિ કોઈ પ્રકારની માનસિક અસ્વસ્થતા અનુભવતી હોય તો પણ તેને પોતાની જાતિ બદલવાનો વિચાર આવતો હોય છે. સારો પ્લાસ્ટિક સર્જયન જનરલ હોસ્પિટલમાં જાતિ બદલવાનું ઓપરેશન કરી શકે છે.ઓપરેશન પછી વ્યક્તિ સ્ત્રી જેવું વ્યક્તિત્વ પેદા કરી શકે છે, પણ બાળક પેદા કરવાની ક્ષમતા નથી આવી શકતી. આ એક ખર્ચાળ ઓપરેશન છે અને એ બેથી ત્રણ સ્ટેજમાં કરવામાં આવે છે. આ ઓપરેશન માટે સર્જયન કુશળ, કાબેલ અને ઈમાનદાર હોવાનું બહુ આવશ્યક છે.

ઓપરેશન કરાવતાં પહેલાં ડોક્ટર પાસેથી એ માહિતી જાણી લેવી જોઈએ કે ઓપરેશન કેવું હશે અને ઓપરેશન પછીની અવસ્થા તમારા માટે કેવી હશે. એ બધું બરાબર સમજી-વિચારીને પછી જ આગળ વધવું જોઈએ, કારણ કે આ ઓપરેશન એક વખત થઈ ગયા પછી એ પર્મેનન્ટ હોય છે. પુરુષમાંથી સ્ત્રી થઈ ગયા પછી પાછું પુરુષ થવું લગભગ અશક્ય છે. પુરુષમાંથી સ્ત્રી થવાનું ઓપરેશન કઠિન છે, પણ સ્ત્રીમાંથી પુરુષમાં રૂપાંતર કરવું વધુ કઠિન છે.

સવાલ.હું ૨૮ વરસની છું. મારા લગ્નને પાંચ વરસ થયા છે. પરંતુ આટલા વરસ દરમિયાન મારા પતિ સાથે સમાગમ દરમિયાન મને ક્યારે પણ આનંદ મળ્યો નથી. આ કારણે હું ઘણી ટેન્શનમાં છું. અધુરામાં પૂરું હું ગર્ભવતી છું. મારી સમસ્યા દૂર કરવાનો ઉપાય દેખાડશો.

જવાબ.સમય ન ગુમાવતા કાઉન્સેલરની સલાહ લો. તેમજ તમારી શારીરિક સ્વસ્થતા અને ભવિષ્ય બાબતે તમારી લાગણીઓને સમજવાનો પ્રયાસ કરો. તમારે માર્ગદર્શનની જરૂર છે. ઘણીવાર દંપતીને એકબીજા સાથે એડજસ્ટ થતા વાર લાગે છે પરંતુ તમારે કોઇ નિષ્ણાતની સલાહની જરૂર છે. તમે ગર્ભવતી છો. આઆ પરિસ્થિતિમાં ટેન્શનથી દૂર રહેવાની જરૂર છે. હવે તમારી સાથે તમારા સંતાનનો પણ વિચાર કરવાનો છે. કાઉન્સેલરની સલાહ તમને તમારું ભવિષ્ય નક્કી કરવામાં ઉપયોગી થશે.

સવાલ.હું ૨૫ વરસની છું. મારા અરેન્જ્ડ મેરેજ છે. મારા લગ્નને એક વરસ થયું હોવા છતાં અમારી વચ્ચે પતિ-પત્ની જેવો સંબંધ સ્થપાયો નથી. મારા પતિ સાથે વાત કરું તો તેઓ આ વાત ટાળી દે છે. હું મારા પતિને ઘણો પ્રેમ કરું છું. તેઓ પણ ઘણા પ્રેમાળ છે. તેઓ હસ્ત-મૈથુન કરતા હોવાનું મારા ધ્યાનમાં આવ્યું છે. મારે શું કરવું તે જણાવવા વિનંતી.

જવાબ.શક્ય છે કે તેઓ સે@ક્સયુઅલ સંબંધ બાંધવામાં અસમર્થ હોય અને આ વાત તમને કેવી રીતે જણાવવી એ તેઓ સમજી શકતા નહીં હોય. તેમને કોઇ ગંભીર સમસ્યા હોવી જોઇએ. જેની સારવાર જરૂરી છે. આમા અનુમાન કરવાને બદલે સમય ન ગુમાવતા તબીબી સહાયની જરૂર છે. તેમની સમસ્યા શારીરિક કે માનસિક હોઇ શકે છે જેનો ઇલાજ થતા જ બધુ સામાન્ય બની જશે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button