રામદેવપીર ના આ ચમત્કારી મંદિર માં માનતા રાખવાથી નિઃસંતાન દંપતીને સંતાન સુખ પ્રાપ્તિ થાય છે.. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Article

રામદેવપીર ના આ ચમત્કારી મંદિર માં માનતા રાખવાથી નિઃસંતાન દંપતીને સંતાન સુખ પ્રાપ્તિ થાય છે..

ગુજરાતમાં એવા ઘણા ચમત્કારિક અને પરચા દેખાડતા સ્થળો છે.જ્યાં આજે પણ દેવી-દેવતાઓની હાજરી છે. આજે આપણે એવા મંદિર વિશે જાણીશું જે રામદેવપીર મહારાજનું મંદિર છે.

આ મંદિર રાજકોટના જસદણના અમરાપુર ગામ પાસે આવેલું છે. જ્યાં રામાપીરનું સતરંગ ધામ આવેલું છે ત્યાં રામદેવ પીરનું આ મંદિર પૌરાણિક છે.આ મંદિરમાં રામદેવપીર ભાણી સાથે બિરાજમાન છે તેથી દૂર દૂરથી ભક્તો રામાપીરના દર્શન કરવા આવે છે.

Advertisement

આ મંદિરમાં ભક્તોની ખૂબ જ આસ્થા હોવાથી હજારો લોકો અહીં દર્શન માટે આવે છે.આ મંદિરમાં નિઃસંતાન દંપતીને સંતાન હોવાનું માનવામાં આવે છે. અહીં માનતા રાખવાથી તેમના સંતાનની મનોકામના પૂર્ણ થાય છે.તે લોકોને રામદેવ પીરની કૃપાથી સંતાન પ્રાપ્તિ થાય છે.

તે આ મંદિરમાં આવે છે અને તેના બાળકનો ફોટો રામદેવપીરને ભેટમાં આપે છે. મંદિરના બાળકોની તસવીરો પરથી તમે અંદાજ લગાવી શકો છો કે આ મંદિરમાં કેટલા લોકોના બાળકો છે. તેથી જ સતરંગી ધામનો મહિમા દિન પ્રતિદિન વધી રહ્યો છે.

Advertisement

રામદેવપીરના આ મંદિરમાં તહેવારોના દિવસોમાં ભારે મેળો ભરાય છે. અહીં હજારો લોકો રામદેવપીરના દર્શનનો લ્હાવો લેવા આવે છે. અહીં આવનારા શ્રદ્ધાળુઓ પણ લગ્ન કે તેમના મનપસંદ કામમાં માને છે. જે રામદેવ પીર હંમેશા પુરી કરે છે. આ મંદિર પૌરાણિક છે અને અહીં રામદેવ પીર મહારાજના અનેક પરચા પણ જોવા મળે છે.

આથી અહીં મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને રામદેવપીરના આશીર્વાદ લે છે. અહીંયા બીજના દિવસે અહીંયા મેરો પણ ભરાય છે અને ભક્તો રામદેવપીરના દર્શન કરીને તેમના જીવનમાં ધન્યતાનો અનુભવ પણ કરતા હોય છે.

Advertisement

રામદેવપીરના મંદિરમાં જેટલા પણ ભક્તો આવે છે એ બધા જ ભક્તોના દુઃખ રામદેવપીર દૂર કરી દે છે અને હસ્તે મોઢે ભક્તોને તેમના ઘરે મોકલે છે. આમ ભક્તોના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો અનુભવ પણ થતો હોય છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite