માં મોગલ નો ચમત્કાર,વિદેશ ના વિઝા ના મળતા યુવકે માં મોગલ ની માનતા રાખી અને થયો ચમત્કાર

કચ્છના કબરાઉમાં બિરાજમાન માં મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સાંભળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખો દૂર કરીને.
માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે ભક્તો પણ મણીધર બાપુના આદેશનું પાલન કરીને માઁ પર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળ સ્વરૂપે માનતા પૂર્ણ થાય છે.
મા મોગલમાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે કચ્છના કબરાઉમાં બિરાજમાન માં હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે.
ખાસ વાત એ છે કે માના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો માં ચરણે આવે છે માં મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે. થોડા સમય પહેલા એક યુવક કબરાઉ ધામ 11,000 રૂપિયા લઇને મોગલ ધામ આવ્યો હતો. તેને માં મોગલ ના આશીર્વાદ લીધા અને મણિધરબાપુને તે પૈસા આપ્યા. ત્યારે મણિધર બાપુએ કહું કે શું માનતા હતી. ત્યારે યુવકે કહ્યું કે કેટલાક સમયથી તે પોતાના પરિવાર સાથે અમેરિકા જવા માંગતો હતો. પણ તેમને વિઝા મળતા ન હતા.
તેથી યુવકે માં મોગલની માનતા માની કે હે માં જ મારા અમેરિકા જવામાં વિઝા આવી ગયા તો હું કબરાઉ ધામ આવીને 11,000 રૂપિયા માં મોગલ ચરણોમાં અર્પણ કરીશ.
માનતા રાખતા જ થોડા દિવસોમાં તે યુવકના આખા પરિવારના અમેરિકાના વિઝા મળી ગયા. પરિવારના બધા લોકો ખુશ થઈ ગયા. પછી આખો પરિવાર માં મોગલની માનતા પૂરી કરવા આવ્યો.
મણિધર બાપુએ કહ્યું કે તારી આ માનતા માં મોગલ પરના વિશ્વાસના લીધે પૂરી થઇ છે આ કોઈ ચમત્કાર નથી. આ રૂપિયા તું તારી બહેનને આપી દે જે માં મોગલ તારી 100 ઘણી માનતા સ્વીકારી.
મણીધર બાપુએ કહ્યું કે માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખો તો માં મોગલ બધા કામ પાર પાડે છે અને આ કોઈ ચમત્કાર ન માનતા તમે એમાં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો છે.
માં મોગલ ને કોઈ દાન ભેટની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે તેથી જ તો કહેવાય છે કે આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે સૌ ભક્તો જાણે જ છે.