મારા લગ્નને 1 વર્ષ થઈ ગયું છે, મને સંબંધ બાંધતી વખતે ખુબજ દુખાવો થાય છે હું શું કરું?….

સવાલ.હું 30 વર્ષની યુવતી છું દોઢ વર્ષ પહેલાં મને છાતીમાં વાગવાથી ઘા થયો હતો આ ઘા હવે સાવ રુઝાઈ ગયો છે પણ તે ઘાના ભાગની ત્વચા હવે બીજી ત્વચા કરતાં થોેડી જાડી દેખાય છે.
અને ઉપર તરફ ઉપસેલી છે રાત્રે સૂતી વખતે તેમાં ખંજવાળ આવે છે ડોક્ટરે તે ભાગમાં સોય લગાડી હતી તેનાથી થોડો ફાયદો તો થયો છે પણ ત્વચા હજુ પણ સમથળ નથી થઈ કહો શું કરું?.
જવાબ.તમારી છાતી પર કીલોયડ બની ગયું છે જો ક્યાંક ઘા થાય અથવા સર્જરી કરતી વખતે ચીરો મૂકવામાં આવે તો ઘા રુઝાવવા માટે શરી ટીશ્યુ સ્તરે નવાં તાંતણાઓની જાળ પાથરે છે ક્યારેક ક્યારેક કોઈકોઈ વ્યક્તિમાં આ સમયે તે ભાગમાં સામાન્ય કરતાં વધારે તાંતણા બની જાય છે.
આથી ત્વચામાં તે ઊપસેલો ભાગ ઉત્પન્ન થઈ જાય છે તે જગ્યાએ લાલાશ આવી જાય છ કીલોયડની સારવાર માટે તે ઊપસેલા ભાગમાં કાર્ટિસ્ટેરોઈડનું ઈન્જેક્શન લેવાનું લાભદાયક સાબિત થાય છે.
શરૂઆતમાં આ ઈન્જેક્શન દર અઠવાડિયે અને પછી તે ૨-૪ અઠવાડિયાનું અંતર રાખીને લેવાથી કીલોયડ મોટા ભાગે ધીરે ધીરે બેસી જાય છે આ ઊપસેલા ભાગ પર દરરોજ કાર્ટિસ્ટેરોઈડ મલમ લગાડવાથી પણ ફાયદો થાય છે.
સિલિકોન જેલ બજારમાં સ્પેક્ટ્રાજેલ નામે ઉપલબ્ધ છે આ લગાડવાથી આરામ મળે છે આમાં કેટલીક ખાસ પ્રકારની દબાણ આપતી પટ્ટીઓ જેમ કે કંપ્રેશન બેન્ડેજ નો ઉપયોગ કરવાથી પણ કીલોયડને બેસાડવામાં મદદ કરે છે આનો ઉપચાર કોઈ ચામડીના રોેગના નિષ્ણાત અથવા પ્લાસ્ટિક સર્જનની દેખરેખ હેઠળ કરાવી શકો છો.
સવાલ.હું જલ્દી લગ્ન કરવા જઈ રહી છું હું ઈચ્છું છું કે લગ્ન પછી મારો પ્રેમ અને મારા પતિનો પ્રેમ કાયમ રહે ખરેખર નાનપણથી જ મેં મારી નજર સામે મારા માતા-પિતાને સતત ઝઘડતા જોયા છે અને હું નથી ઈચ્છતી કે મારા લગ્નજીવનમાં આવી સ્થિતિ સર્જાય લગ્ન પછી પ્રેમ જાળવી રાખવા શું કરવું જોઈએ?.
જવાબ.લગ્ન પછી જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો વર્ષો પછી પણ પતિ-પત્ની બંનેનું ટ્યુનિંગ એટલું સારું રહેશે કે નવા પરણેલા કે પ્રેમી-પ્રેમિકા વચ્ચેના સંબંધો ફિક્કા પડી જશે રિલેશનશિપમાં ઉંમરના તફાવતથી કોઈ ફરક પડતો નથી.
જો બંને વચ્ચે પરસ્પર સમજણ અને પ્રેમ હોય તો ઉંમર માત્ર એક આંકડો બની જાય છે જો શક્ય હોય તો દિવસમાં એકવાર સાથે ખાવાનો આગ્રહ રાખો આ વસ્તુ તમને સાથે સમય પસાર કરવાનો મોકો આપે છે.
હંમેશા લાગણીઓ કબૂલ કરો અનુભૂતિનો સ્વીકાર કરવાથી આ લાગણી કાયમ જીવંત રહે છે યુગલોએ આદર કરવો જોઈએ અને તે જ સમયે અન્યની પસંદ અને નાપસંદને ટેકો આપવો જોઈએ આવું વલણ બતાવવાથી ભાગ્યે જ બંને વચ્ચે ઝઘડો થાય છે ધ્યાન રાખશો તો લગ્ન પછી પણ પ્રેમ જળવાઈ રહેશે.
સવાલ.હું પરિણીત સ્ત્રી છું. લગ્નને માત્ર 1 વર્ષ જ થયું છે. સમસ્યા એ છે કે જ્યારે પણ હું મારા પતિ સાથે શારી-રિક સંબંધ રાખું છું, ત્યારે મને પીડા અને દુખાવો થાય છે. જેના કારણે હું સે-ક્સ માણી શકતો નથી.
મારી આ સમસ્યાને કારણે હું ખૂબ જ તણાવમાં છું. પણ મારી સમસ્યા કોની સાથે શેર કરવી એ મને સમજાતું નથી. મારી સે-ક્સ લાઈફનો આનંદ માણવા માટે મારે શું કરવું જોઈએ?
જવાબ.તાજેતરમાં બ્રિટનમાં કરવામાં આવેલા એક સર્વેમાં સામે આવ્યું છે કે 10માંથી 1 મહિલાને સે-ક્સ દરમિયાન પીડા અને અસ્વસ્થતામાંથી પસાર થવું પડે છે. જો તમને સે-ક્સ દરમિયાન પીડા અને અસ્વસ્થતામાંથી પસાર થવું પડતું હોય, તો તેના વિશે અચકાવું નહીં અને તમારા પતિ સાથે ખુલ્લેઆમ શેર કરો. કારણ કે તે સામાન્ય છે.
જો તમે તણાવમાં છો અથવા કોઈ બાબતને લઈને ચિંતિત છો, તો તમારે આ વિશે તમારા ગાયનેકોલોજિસ્ટની સલાહ પણ લેવી જોઈએ. કારણ કે સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે ચિંતા અને ભાવનાત્મક કારણોસર સે-ક્સ દરમિયાન પીડા અને પરેશાનીની સમસ્યા વધુ વધી જાય છે.
આ સમસ્યા 20-30 વર્ષની મહિલાઓમાં વધુ જોવા મળે છે. તમારે આ વિશે તમારા પાર્ટનર અને ગાયનેકોલોજિસ્ટ સાથે ખુલીને વાત કરવી જોઈએ. તમારી પસંદ અને નાપસંદ તમારા પતિ સાથે શેર કરો. આમ કરવાથી તમારી સમસ્યા ઘણી હદ સુધી દૂર થઈ જશે