વિધિની સમસ્યા છે તેમ કહીને તાંત્રિક ભૂવાએ મહિલા સાથે અનેક વાર બાંધ્યા શારીરિક સંબંધ, પરંતુ એક દિવસ..

આજના સમયમાં બળાત્કારના કેસો ખૂબ જ વધી રહ્યા છે અને તે માટે સરકાર પણ અલગ અલગ કાયદાઓ બનાવીને અપરાધિઓ ને રોકવા માટે પ્રયાસ કરે છે પરંતુ આ અપરાધિઓ પોતાના આ ખરાબ કૃત્ય કરવામાં પાછા ફરતા નથી.દરેક માં બાપ પોતાની દીકરીની સુરક્ષા ઇચ્છતા હોય છે.આજે લોકો પોતાની દીકરીને પોતાનાથી દુર કરવા પર ગભરાતા હોય છે.
આપણા દેશમાં તાંત્રિક વિદ્યાઓ પર લોકો ખૂબ વિશ્વાસ કરતા હોય છે.જ્ઞાનઅને વિજ્ઞાનના યુગમાં પણ અંધશ્રધ્ધા, તાંત્રિક વિધિઓ અને મેલી વિદ્યા જેવા તત્ત્વો કઈ હદે પ્રભાવક બની રહ્યા છે તેનો આઘાતજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
મિત્રો તમને જણાવી દઈએ કે રાજસ્થાનના જલોરમાં તાંત્રિકની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં બેંગ્લોરની એક પરિણીત મહિલાને તંત્ર-મંત્રથી સમસ્યા હલ કરવાની લાલચ આપીને છેડતીનો ગુનો કરવામાં આવ્યો હતો. તાંત્રિકે સ્ત્રીને તેની બધી સમસ્યાઓ હલ કરવા માટે પ્રવાહીના રૂપમાં નશીલા પદાર્થ પીવા કહ્યું.પ્રવાહી પીધા પછી મહિલા અસંવેદનશીલ બની હતી, ત્યારબાદ તાંત્રિકે તેનું અપહરણ કરી બેંગાલુરુ લઈ ગઈ હતી.
મળતી માહિતી મુજબ ત્યાં પીડિતાને 10 દિવસ સુધી બંધક બનાવ્યો હતો અને ડ્રગ પીધા પછી તેણે નશો કર્યો હતો. 7 જાન્યુઆરીએ પીડિતાએ આહોર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો હતો, જેના આધારે પોલીસે કેસ નોંધીને આરોપી તાંત્રિકની બેંગલોરથી ધરપકડ કરી હતી.નિર્દેશનમાં પોલીસ અધિકારી ઘેવરસિંહની આગેવાની હેઠળ તાંત્રિક કબજે કરવામાં આહોર પોલીસને સફળતા મળી હતી. પીડિતાના નિવેદનને આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમા રહેતી બે બહેનો સાથે તાંત્રિક વિધિના નામે એક ભૂવાએ પાશવી બળાત્કાર ગુજાર્યા નો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે વાડજ સ્થાનિક પોલીસ સ્ટેશનમા ફરિયાદ પણ નોંધવામા આવી છે.
અમદાવાદ શહેર ના ઘાટલોડિયા વિસ્તારમા રહેતા દોલતરામ નામના તાંત્રિક ભુવાએ યુવતીને તેના ઘરમા સારુ દેખાઈ રહ્યુ નથી. માટે તારા ઘરમા વિધિ કરવી પડશે એવુ કહીને ગેસ્ટ હાઉસમા લઈ જઈ શારીરિક દુષ્કર્મ આચર્યું હતુ. ત્યારબાદ યુવતીના વીડિયો સોશિયલ મીડિયામા વાયરલ કરવાની ધમકીઓ આપી અવાર-નવાર શારીરિક દુષ્કર્મ આચર્યું હતુ.
મળતી વિશેષ માહિતી મુજબ અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમા રહેતી એક યુવતી સાથે આ ભુવાએ વર્ષ ૨૦૦૮ થી શારીરિક દુષ્કર્મ આચરવાનુ શરુ કર્યું હતુ. તાંત્રિક ભુવા દોલતરામ અવારનવાર યુવતીને મળતો હતો. પોતે તાંત્રિક ભૂવો હોવાનુ કહી તમારા ઘરમા કેટલીક આત્માઓ રહે છે એવી રીતે ડરાવતો હતો. જો વિધિ નહિ કરાવ તો તારા ઘરનુ સત્યાનાશ થઈ જશે. ઘરમા વિધિ તો કરાવવી જ પડશે અને જો નહિ કરાવ તો તારી માતાનુ મૃત્યુ થઈ જશે એવો દર દેખાડતો હતો.
જેથી ભયભીત થઈને યુવતીએ એક વખત ઘરમા વિધિ કરાવી લેવાનુ નક્કી કર્યું હતુ. ત્યારબાદ તાંત્રીક ભુવાએ શાંત જગ્યાએ વિધિ કરવાનુ કહી અને રિવરફ્રન્ટ નજીક લઈ ગયો હતો. ત્યાંથી તેણે બાઈક પર કાલુપુર વિસ્તારના એક ગેસ્ટ હાઉસમા લઈ જઈ તાંત્રિક વિધિનુ નાટક કર્યું હતુ. ત્યારબાદ મેલી વસ્તુ પકડાતી નથી જેથી આપણે શરીર સબંધ બાંધવો પડશે તેમ કહી બળજબરીપૂર્વક યુવતી સાથે શરીર સબંધ બાંધ્યો હતો.
યુવતીના પિતા મરી ગયા બાદ આવેલા ૭ લાખ રૂપિયાની માહિતી પણ તાંત્રીત ભુવા દોલતરામને મળતા પૈસાની માંગણી પણ કરી હતી. જેથી મજબૂરી અને ભયભીત થઈને યુવતીએ ૫ લાખ રૂપિયા પણ આપી દીધા હતા. બાદમા યુવતીના મકાનમા ચંડાળ ચોકડી આત્માઓ રહે છે.
તેવુ કહી મકાન પણ વેચાવી દીધુ હતુ અને તેના આવેલા ૨૪ લાખ રૂપિયા પણ સગેવગે કરી લીધા હતા. યુવતીની સગી બહેનને પણ ફસાવી હતી અને તેની સાથે પણ શારીરિક દુષ્કર્મ આચર્યું હતુ. આ મામલે વાડજ સ્થાનિક પોલીસે ગુનો નોંધી આગળ વધારાની તપાસ હાથ ધરી છે.