જે મહિલાઓ આ કામ કરે છે એમના ઘર માં હંમેશા થાય છે ધન નો વરસાદ,નથી થતી પૈસાની કમી…

ભારતીય પરંપરા અનુસાર ઘરની સ્ત્રીને ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે આ પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે આપણા શાસ્ત્રોમાં સ્ત્રીને પુરૂષો કરતાં વધુ મહત્વ આપવામાં આવ્યું છે અને સ્ત્રીને પણ પુરૂષની શક્તિ માનવામાં આવી છે.
પરંતુ જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ આપણી આવનારી પેઢી આ પરંપરાઓથી દૂર થઈ રહી છે આ કારણથી આજના સમયમાં વ્યક્તિના જીવનમાં હંમેશા કોઈને કોઈ વસ્તુની કમી રહે છે.
જેના કારણે સ્ત્રી અને પુરૂષ બંનેને પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે કામ કરવું પડે છે પરંતુ તેમ છતાં તેમની જરૂરિયાતો સંતોષાતી નથી પરંતુ આજે અમે તમને એવા જ કેટલાક ઉપાયો જણાવીશું જે જો કોઈ મહિલા સૂતા પહેલા કરે છે.
તો તેને ચોક્કસથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે વ્યક્તિના ઘરની સંપૂર્ણ જવાબદારી સ્ત્રીના ખભા પર રહે છે તે ઘરની સંભાળ રાખે છે તેથી ઘરની સ્ત્રીએ પોતાના ઘરનો મુખ્ય દરવાજો હંમેશા સાફ રાખવો જોઈએ.
ઘરના મુખ્ય દ્વારની સામે કે તેની પાસે કોઈ ડસ્ટબીન ન મૂકવું જોઈએ કારણ કે આમ કરવાથી દેવી લક્ષ્મીનો પ્રવેશ અવરોધાય છે અને પડોશીઓ સાથેના સંબંધો પણ બગડે છે જો સૂર્યાસ્ત પછી બહારથી કોઈ વ્યક્તિ તમારી પાસે દૂધ કે દહીં માંગવા આવે તો તેને આ વસ્તુઓ ન આપવી જોઈએ.
તેમને આપવાથી તમારા ઘરની લક્ષ્મી પણ દૂર થઈ જાય છે કોઈપણ સ્ત્રીએ હંમેશા રાત્રિભોજન પછી પોતાનું રસોડું અને વાસણો સાફ કરીને સૂવું જોઈએ આ કરવાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.
સ્ત્રીએ પોતાના ઘરની સાવરણી હંમેશા દક્ષિણ-પશ્ચિમ દિશામાં સંતાડીને રાખવી જોઈએ કોઈ પણ સ્ત્રીએ સૂતા પહેલા ક્યારેય વાળ ધોવા જોઈએ નહીં ભગવાન વિષ્ણુને તુલસીથી પ્રેમ છે પણ દેવી લક્ષ્મી અને ગણપતિ બંનેને તુલસીથી વેર છે.
કારણ કે તુલસી ભગવાન વિષ્ણુના બીજા સ્વરૂપ શાલીગ્રામની પત્ની છે તેથી લક્ષ્મીને તુલસી પ્રિય નથી તો ગણેશજીએ પણ તુલસીને શ્રાપ આપેલો છે અને તેમની પૂજામાં તુલસીનો ઉપયોગ ન કરવા નિર્દેશ કરેલો છે તેથી લક્ષ્મીપૂજનમાં કદી તુલસીનો ઉપયોગ કરવો નહિં.
દેવી લક્ષ્મીને મોટે ભાગે ફૂલ વાટનો દીવો ન કરતાં આડી વાટનો દીવો કરવો જોઈએ અને દીવાની જ્યોતિ જમણી તરફ રાખવી જોઈએ એનું કારણ એ છે કે ભગવાન વિષ્ણુ અગ્નિ અને પ્રકાશ સ્વરૂપ છે.
ભગવાન વિષ્ણુની ડાબી બાજુ દેવીનું સ્થાન છે તેથી દીવાની જ્યોત લક્ષ્મી પુજનમાં હમેંશા જમણી બાજુ રાખવી જોઈએ લક્ષ્મી દેવીને ક્યારેય સફેદ ફૂલ ન ચડાવવા જોઈએ લક્ષ્મી સદા સુહાગણ છે તેથી જ તેમને હમેંશા લાલ ફૂલ જેવાકે લાલ ગુલાબ લાલ કમળ જેવા ફૂલ ચઢાવવામાં આવે છે.
દેવી લક્ષ્મીની પૂજા ત્યાં સુધી સફળ માનવામાં નથી આવતી જ્યાં સુધી ભગવાન વિષ્ણુની પૂજા ન કરવામાં આવે તેથી દિવાળીની સાંજે ગણપતિનું પૂજન કર્યા બાદ દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું પુજન કરવામાં આવે તે બેહદ જરૂરી છે.
તેનો ટાળો ન કરવો જોઈએ ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે શુક્રવારના દિવસે લક્ષ્મી નારાયણની પૂજા કરો તેનાથી ઘરમાં ખુશાલી અને સકારાત્મકતા આવે છે ધનની પ્રાપ્તિ માટે શુક્રવારની સાંજે લાલ રંગના કપડા પહેરીને દેવી લક્ષ્મીની ઉપાસના કરો.
આ સાથે જ લાલ રંગના કંબલના આસન પર બેસીને દેવીનું ધ્યાન ધરો માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાતI મંત્રનો 108 વાર જાપ કરો.
દેવી માતાને લાલ ચંદન અક્ષત લાલ વસ્ત્ર ગુલાબના ફૂલ અને કમળકાકડીની માળા ચઢાવો તેનાથી લક્ષ્મી માતા પ્રસન્ન થશે જો ઘરમાં વાસ્તુ દોષ કે નકારાત્મકતાનો વાસ હોય તો શુક્રવારની સાંજે ઘીની પાંચ જ્યોતવાળો દીવો તૈયાર કરીને તેનાથી આરતી કરો.
તેનાથી ઘરમાં સકારાત્મકતા આવશે અને આ સાથે જ જીવન વૈભવશાળી બનશે જો તમારી પાસે પૈસા ટકતા ન હોય તો માતા લક્ષ્મીની પૂજા કપૂર બાળીને કરો અને તેમાં કુંકુ નાખો હવે તે રાખને એક લાલ કાગળમાં રાખીને પર્સમાં રાખી લો તેનાથી ધન ટકશે