આ મહિલાની આર્થિક સ્થિતિ ખુબજ ખરાબ હતી, માં મોગલની માનતા રાખતા જ થયો એવો ચમત્કાર કે બધી મુસીબતો થઈ ગઈ દૂર... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Advertisement
Advertisement
ajab gajab

આ મહિલાની આર્થિક સ્થિતિ ખુબજ ખરાબ હતી, માં મોગલની માનતા રાખતા જ થયો એવો ચમત્કાર કે બધી મુસીબતો થઈ ગઈ દૂર…

Advertisement

આજના સમયે મોટા ભાગના લોકોનાં આસ્થાનું પ્રતિક એટલે મોગલ માં. મોગલ માતાનાં ધામો ગુજરાતમાં ઘણી જગ્યાએ આવેલા છે. જેમાં ભગુડા, ઓખાધરા, કબરાઉં વગેરે માના મુખ્ય ધામો છે.

જ્યાં દિવસ દરમિયાન હજારો ભાવિક ભક્તો માતાના દર્શને આવતા જ હોય છે. માતાજી મુખ્ય તો ચારણ કુળના દેવી છે.પરંતુ મોગલ માતાને અઢારે વર્ણના લોકો પૂજે છે.

બધા જ ધર્મ કે જ્ઞાતિના લોકો મોગલ માં પર ખુબ જ શ્રદ્ધા રાખતા હોય છે.માતાજીના પરચા આજના સમયે હળાહળ કળયુગમાં પણ અપરમપાર છે.મોગલ માતાના નામ પર ખોટા સોગંધ પણ ન ખાઈ શકાય,.

તેવી લોકોમાં માતાજીની શ્રધ્ધા અને કૃપા છે.માં મોગલ ના મંદિરમાં કોઈ દિવસ ઊંચનીચના ભેદભાવ કરવામાં આવતો નથી.દરેક લોકોને એક સરખા માની ને મોગલ ના મંદિર માં જવા દેવામાં આવે છે.

માં મોગલ એ પોતાના પરચા અનેકવાર શ્રદ્ધાળુ ઓને બતાવ્યા છે. અને મા મોગલ ના દર્શન કરવા માટે સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતમાંથી લોકો આવતા હોય છે.

થોડા સમય પહેલા માં મોગલના દર્શન કરવા માટે એક દંપતી આવ્યા હતા અને ત્યારે મણીધર બાપુએ તેમને પૂછ્યું હતું કે શું માનતા રાખી હતી. ત્યારે મણીધર બાપુને મહિલાએ જણાવ્યું કે અમારી આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી અને અમે મોગલ માં ની માનતા રાખી હતી.

આ મહિલા પાસે રહેવા માટે યોગ્ય ઘર પણ ન હતું. આર્થિક રીતે કટોકટી હોવાના કારણે તે ખુબજ પરેશાન થઈ ગયા હતા.ત્યારે તેમના એક મિત્રએ માં મોગલની માનતા રાખવા માટે કહ્યું અને તેમને માં મોગલની માનતા રાખી. અને થોડાક જ દિવસોમાં તેમની દરેક ઈચ્છા અને આર્થિક સંકટમાંથી બહાર આવી ગયા. માં મોગલની કૃપાથી તે ખૂબ જ સારી જિંદગી વિતાવી રહ્યા છે દર્શન કરવા માટે તે મોગલ ધામ આવી આવ્યા હતા.

માં મોગલને 11 હજાર રૂપિયા ચઢાવવાની માનતા રાખી હતી અને માં મોગલ ના 11,000 રૂપિયા ચરણો માં અર્પણ કર્યા. અને આશીર્વાદ લીધા હતા ત્યારે સમય મણીધર બાપુએ તે પૈસા તેમને પાછા આપ્યા હતા અને કહ્યું હતું કે માને પૈસાની કોઇ જરૂર નથી. આ પૈસા કોઈ જરૂરિયાત વ્યક્તિ ને આપી દેજો અને માં મોગલ તમને કોઈ દિવસ દુઃખી થવા નહિ દે. માં મોગલ ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખનાર વ્યક્તિ કોઈ દિવસ દુઃખી થતો નથી.

હાલમાં આવોજ એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં માં ના આશિર્વાદ થી એક મહિલા ના દુઃખ દૂર થયા છે. જણાવી દઈએ કે એક મહિલાની માતા ને સતત પગ નો દુખાવો હતો. જેના કારણે અનેક દવા કરવા છતા પણ જ્યારે માં ની વેદના ઓછિ ના થઈ.ત્યારે મહિલાએ માં મોગલ ને માનતા કરી અને સાજા થવા પર સોનાની વીંટી ચડાવવાની વાત કરી.

જોકે માનતા ના થોડા જ દિવસ માં ચમત્કાર થયો અને યુવતી ની માંને સારું થતાં તે જ્યારે કબરાઉ ધામમાં વિરાજમાન માં મોગલ ના મંદિર ગયા અને મણીધર બાપુને વીંટી આપી જે બાદ મણીધર બાપુએ વીંટી લઈને મહિલા ને પરત કરી કહ્યું કે માં મોગલે તારી વીંટી સ્વિકાર લીધી. લે હવે આ વીંટી પરત લઈજા.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button