આ મહિલા સતત રહેતી હતી ખુબજ બીમાર, માં મોગલ ની માનતા રાખતા થયો એવો ચમત્કાર કે બધા જોતા રહી ગયા…

માં મોગલના પરચા વિશે તો જેટલી વાત કરીએ તેટલી ઓછી છે. હજારો લોકો માં મોગલ પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા અને વિશ્વાસ રાખે છે. તેઓ માં મોગલ પાસે પોતાની ઈચ્છાઓ રાખે છે અને માં મોગલ પણ તેઓની તમામ ઈચ્છાઓ પૂરી કરે છે.
માં મોગલના અનેક પરચાઓ છે જે આપ સૌ જાણતા જ હશો. તેથી ભક્તો મોટી સંખ્યામાં માં મોગલના દર્શન કરવા માટે આવતા હોય છે.
કબરાઉમાં આજે પણ માં મોગલ સાક્ષાત બિરાજમાન છે, તેથી ભક્તો ઘણે દૂરથી અલગ અલગ માનતાઓ લઈને આવતા હોય છે અને દરેક ભક્તની માનેલી મનોકામનાઓ માં મોગલ પુરી કરતા હોય છે.
થોડા સમય પહેલા એક મહિલાની માનતા માં મોગલે પૂરી કરતાં આ મહિલા પોતાની માનતા પૂરી કરવા માટે 11000 રૂપિયા લઈને મોગલધામ આવી હતી.
આ મહિલા મણીધર બાપુના આશીર્વાદ લેવા ગઈ હતી અને કહ્યું હતું કે, મે રાખેલી માનતા પૂરી થતાં હું આ માનતા પૂરી કરવા આવી છું.
ત્યારે મણીધર બાપુએ મહિલાને પૂછ્યું હતું કે. દીકરી તે શેની માનતા માની હતી.ત્યારે મહિલાએ મણીધર બાપુને કહ્યું હતું કે, મારી તબિયત ઘણા લાંબા સમયથી ખરાબ રહેતી હતી,
તેમજ પરિવારન લોકો ખૂબ જ દુઃખી રહેતા હતા. મારી તબિયત ખરાબ રહેવાને કારણે, મેં ઘણા પૈસા દવા પાછળ વાપર્યા હતા. પરંતુ કોઈ પણ પ્રકારનો સુધારો આવ્યો ન હતો. ત્યારે મેં માં મોગલની માનતા માની હતી અને મેં માં મોગલ ને કહ્યું હતું કે, મારી તબિયત એકદમ સ્વસ્થ થઈ જશે, તો હું તમારા ચરણોમા 11000 રૂપિયા અર્પણ કરીશ.
ત્યારે થોડા સમય બાદ જ માં મોગલ ની કૃપા અને આશીર્વાદ એટલા બધા ફળિયા હતા કે, મહિલાની તબિયત એકદમ સુધરી ગઈ હતી અને તેના પગ ઉપર મહિલા ચાલતી થઈ ગઈ હતી, આ મહિલાએ માનેલી મનોકામના પૂરી કરવા માટે મહિલા કબરાઉ ધામ પહોંચી આવી હતી.
અને ત્યારે સૌ કોઈ લોકો ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને કહેવા લાગ્યા હતા કે, આ માં મોગલ નો સાક્ષાત ચમત્કાર છે. ત્યારે મણીધર બાપુએ 11, 000 રૂપિયાની અંદર એક રૂપિયો ઉમેરીને મહિલાને પાછા આપી દીધા હતા અને કહ્યું હતું કે મોગલને આ પૈસાની કોઈ જરૂર નથી.
આવી જ એક ઘટના કબરાઉ મોગલ ધામથી સામે આવી છે. જ્યાં એક દંપતી પોતાની દીકરીની કબરાઉ માં મોગલના આશીર્વાદ લેવા માટે આવે છે.ત્યાં આવીને તે પોતાની દીકરીને મણિધર બાપુના હાથમાં આપે છે.
બાપુએ જેવી દીકરીને પોતાના ખોળામાં લીધી કે તે બોલી પડ્યા કે આ તો એક શક્તિ છે.આ તો સાક્ષાતમાં મોગલનો આશીર્વાદ છે. આની પર તો માં મોગલના આશીર્વાદ સદાયની માટે રહેશે.પોતાના જીવનમાં ક્યારેય અંધશ્રદ્ધા નહિ રાખતા.
માં મોગલ પર આસ્થા રાખજો તે તમારી દીકરી પર કયારેય દુઃખ નહિ આવવા દે. આમ કહીને મણિધર બાપુએ દીકરીના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. અને બાપુએ પોતાની તરફથી દીકરીને માં મોગલનો એક ફોટો ભેટમાં આપ્યો.
માં મોગલ દીકરીની સાથે સદાયની માટે રહેશે. કબરાઉ મોગલ ધામમાં લોકો લાખો રૂપિયાનું દાન આપવા માંગે છે પણ મણિધર બાપુ એક રૂપિયો પણ દાન નથી સ્વીકારતા આ ઉપરાંત જે પણ રકમ દાનમાં આવે તેમાં મણિધર બાપુ રૂપિયો ઉમેરીને તેમને પાછી આપી દે છે.