અમારાં લગ્નને 2 વર્ષ થયાં છે, અમે રોજ અલગ અલગ પોઝિશનમાં સે@ક્સ કરીએ છીએ, તો શું આના લીધે ભવિષ્યમાં ગર્ભ રહેવામાં કોઈ સમસ્યા તો નહિ થાય ને…

સવાલ.હું 19 વર્ષની છું અને મારો પાર્ટનર 30 વર્ષનો છે. અમે ગયા મહિને કો-ન્ડોમ વિના સે@ક્સ કર્યું હતું. ગયા મહિને મારા પિરિયડ્સ સમયસર આવી ગયા હતા છતાં તેમાં ખૂબ જ ઓછું બ્લીડિંગ થયું. તે પછીના બે અઠવાડિયાં પછી થોડું વધારે બ્લીડિંગ થયું.
છેલ્લાં એક અઠવાડિયામાં મને વારેવારે યુરિન કરવાની ઈચ્છા થાય છે. મેં પ્રેગનન્સી ટેસ્ટ કર્યો છે અને તેનું પરિણામ નેગેટિવ આવ્યું છે. શું મારે ડોક્ટરને મળવું જોઈએ કે થોડી રાહ જોવી જોઈએ?
જવાબ.કોઈ ગાયનેકોલોજિસ્ટને મળો. કદાચ તમે પ્રેગ્નન્ટ તો નહીં જ હોવ પણ તમારી હેલ્થ તો સારી છે ને તે ચેક કરાવી આવો. ગાયનેકોલોજિસ્ટ તમારા બ્રેસ્ટ્સ પણ તપાસશે અને બ્રેસ્ટ્સનું રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ.
સવાલ.મારા લગ્ન તાજેતરમાં જ થયા છે અને સે@કસ દરમિયાન મારું પેનિસ વજાઈનામાં ગયા પછી માત્ર એક જ મિનિટમાં ઈજેક્યુલેશન થઈ જાય છે. શું શિઘ્રપતનનો કોઈ મેડિકલ ઈલાજ છે? અથવા કોઈ અન્ય ઈલાજ ખરો? અને ઈલાજમાં કેટલો સમય લાગશે?.
જવાબ.આ સમસ્યાનો ઈલાજ થઈ પણ શકે અને કદાચ ના પણ થાય. ઈલાજ થવો કે ના થવો તે તમારી શીખવાની ઈચ્છા પર આધારિત બાબત છે. એક કામ કરો, ઈન્ટરનેટ પર જઈને ગૂગલ કરો અને આ પ્રોબ્લેમનાં ઈલાજ વિશે માહિતી મેળવો. પણ તેનાથી કદાચ સંપૂર્ણ ઈલાજ શક્ય નથી. વધુ સલાહ માટે તમારા શહેરના કોઈ લોકલ સેક્સપર્ટને મળો.
સવાલ.હું 21 વર્ષનો છું. મારી સગાઈ થયે એકાદ વર્ષ થયું છે. હું અને મારી ફિયાન્સી એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ. અમે જાતીય સંબંધ બાંદ્યો નથી. સે@ક્સ વિશે અમને જાણ છે. અમે એકાદ બે વાર પહેરેલે કપડે સે@ક્સ માણ્યું છે.
શું આથી ગર્ભ રહેવાની શક્યતા ખરી? મારી ફિયાન્સીને તે ચરમ સીમા સુધી પહોંચી છે કે નહીં એની ખબર પડતી નથી. અમારા લગ્નને હજુ એકાદ-દોઢ વર્ષની વાર છે. લગ્ન પહેલા અમારે શારી-રિક સંબંધ બાંધવો નથી. યોગ્ય માર્ગદર્શન આપશો.
જવાબ.કપડા પહેરી સે@ક્સ માણવાથી ગર્ભ રહેવાની શક્યતા પાંખી છે. પરંતુ મન પર કાબુ ન રહેતા શરીર સંબંધ બંધાવાની શક્યતા છે. આથી તમે જે કરો તે સમજી વિચારીને જ કરજો. તમારે તમારી પસંદ ના પસંદની ચર્ચા કરવાની જરૂર છે.
તે જે ક્રિયાઓથી ઉત્તેજિત થતી હોય એવી ક્રિયાઓ કરો એક સમયે એને અહેસાસ થશે કે બસ, આનાથી વધુ હવે કંઈ નહીં જોઈએ. આ જ ક્લાઈમેક્સ, પરાકાષ્ઠાં કે ચરમસીમા છે. સુખ અને સંતોષનો અનુભવ મનમાં થાય છે.
સવાલ.હું 13 વર્ષની છું. મને પગના દુ:ખાવાની સમસ્યા છે. આ માટે હું દર્દ નિવારક ગોળીઓ લઉં છું. પરંતુ દવાની અસર ઓસરી જતા જ દુ:ખાવો શરૂ થઈ જાય છે. ડૉક્ટરની દવાથી પણ ફાયદો થયો નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.
જવાબ.નબળાઈને કારણે તમારા પગ દુ:ખતા હોવાની શક્યતા છે. કેલ્શિયમ, વિટામીન્સ તેમ જ લોહ તત્ત્વની ઉણપને કારણે આમ થઈ શકે છે. સંતુલિત આહાર લો. આહારમાં લીલા શાકભાજીનં પ્રમાણ વધારી દો. આ ઉપરાંત દૂધ અને દહીં પણ પુષ્કળ પ્રમાણમાં લો. ડૉક્ટરનીસલાહ લઈ બ્લડ ટેસ્ટ કરાવો અને તેમની સલાહ લઈ દવા લો.
સવાલ.હું 40 વર્ષની મહિલા છું. છેલ્લા કેટલાક સમયથી મને થોડુંક કામ કરવાથી પણ ખૂબ થાક લાગે છે, શું કરું?.
જવાબ.મિડલ એજમાં ઘણી સ્ત્રીઓ આવી પરિસ્થિતિનો સામનો કરતી હોય છે. ઘણી વખત તમે સારું ખાતા હો પરંતુ તો પણ વિટામિન અને મિનરલ્સની કે માઇક્રો ન્યુટ્રિયન્ટની ઉણપ આવી જતી હોય છે. મેગ્નેશિયમની ઊણપથી પણ આ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ સિવાય વિટામિન-ડી અને બી-12ની કમીથી પણ આવું થઈ શકે છે.
ઘણી વાર બૅઝિક પાણીની કમીથી પણ આવું થઈ શકે છે.ઘણી વખત સ્ત્રીઓમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ થતું હોય તો પણ આવું થઈ શકે છે. જો તમારું વજન એકદમ વધી ગયું હોય તો પણ આ શક્યતા રહે છે. ઘણી વખત વ્યક્તિને જેટલા આરામની જરૂરત હોય એટલો એને મળતો ન હોય તો પણ આ પરિસ્થિતિ સર્જાતી હોય છે.
તમે એક્સરસાઈઝ રેગ્યુલર કરવાની કોશિશ કરો. એ ખૂબ જરૂરી છે. એનાથી તમારી સ્ટ્રેન્થ વધશે. એવું ન વિચારો કે આજે થાક લાગ્યો છે તો એક્સરસાઈઝ નથી કરવી.યોગ કરશો તો સ્નાયુઓ સ્થિતિસ્થાપક રહેશે અને આવી તકલીફ નહીં થાય.
આ સિવાય ડોક્ટરને પૂછીને માઇક્રો ન્યુટ્રિશિયન્સનો એક કોર્સ કરી લો જેથી તમને આ તકલીફ ન થાય. રોજિંદા જીવનમાં ફ્રેશનેશ અને એનર્જી માટે રાતની 8 કલાકની ઊંઘ કરો જે ખૂબ જરૂરી છે. આ બધી બાબતોનું ધ્યાન રાખશો તો ચોક્કસ થાક નહીં લાગે.
સવાલ.અમારાં લગ્નને 2 વર્ષ થયેલાં છે. અમે છેલ્લા બે-ત્રણ મહિનાથી બાળક માટે પ્રયત્ન કરીએ છીએ. અમે બંને જાતીય જીવનથી ખૂબ જ સંતુષ્ટ છીએ. અમને બંનેને એક વખતના સમા-ગમ દરમિયાન બે-ચાર અલગ-અલગ આસન માણવામાં આનંદ આવે છે. અમારો સવાલ એ છે કે શું આમ કરવાથી બાળક રહેવામાં કોઇ તકલીફ થઇ શકે છે?
જવાબ.ગર્ભ રહેવા માટે પુરુષના શુક્રાણુ અને સ્ત્રી બીજનું મિલન થવું જરૂરી છે. સામાન્ય રીતે આ મિલન ગર્ભાશયમાં થતું હોય છે. હવે જ્યારે તમને સમા-ગમ વખતે સ્ખલન થાય ત્યારે તેમાં એક જ ટકો વીર્ય હોય છે.
અને તેમાં સામાન્ય રીતે લાખો-કરોડો શુક્રાણુ હોય છે. જે નરી આંખે દેખાતા હોતા નથી. આ શુક્રાણુ યોનિમાર્ગની દીવાલને ચોંટી ધીરે ધીરે ગતિ કરતા ગર્ભાશયમાં પહોંચતા હોય છે.બાકીનો નવ્વાણુ ટકા સ્ત્રાવ યોનિમાર્ગમાં દરેકને બહાર આવી જતો હોય છે. પછી તમે કોઇ પણ આસન કેમ ના માણ્યું હોય.
સ્ત્રી નીચે હોય, સમાગમ પછી અડધો કલાક સૂતેલી રહેતી હોય તો પણ આ સ્ત્રાવ બહાર જ આવી જતો હોય છે, જે નોર્મલ ક્રિયા છે. તેથી સમા-ગમ માત્ર એક જ આસનમાં સંપન્ન થાય તે જરૂરી નથી.
આપની જેમ ઘણાં લોકો એકથી વધારે આસનોની અજમાઇશ કરતા હોય છે. આમ કરવાથી જાતીય જીવનમાં વિવિધતા રહે છે અને વર્ષો પછી પણ જાતીય ઉત્સાહ જળવાઇ રહે છે. ટૂંકમાં આસનોની સંખ્યા અગણિત છે અને અલગ અલગ આસનો માણવાથી બાળક થવામાં કોઇ અંતરાય આવતો નથી.