જાણો કચ્છ ની 300 જાંબાઝ મહિલા ઓની કહાની,જીવ ના જોખમે દેશ ના જવાનોને કરી હતી મદદ,દેશ ક્યારેય ભૂલસે નહીં….

આપણે ગુજરાતની વિરંગનાઓની એક અજાણી વાત તમારા માટે લાવ્યાં છે. વર્ષ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે માધાપરની મહિલાઓએ દેશસેવાનું ઉતમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. યુદ્ધ સમયે પાકિસ્તાન સૈન્ય દ્વારા ભારતના એરફોર્સ રનવે પર બોમ્બ ફેંક્યો હતો. જેના કારણે રનવે તૂટી ગયો હતો. આવી કપરી પરિસ્થિતિ સમયે માધાપરની દોઢસોથી વધુ મહિલાઓએ બહાદુરી બતાવી જીવની પરવા કર્યા વગર ૩ દિવસોમાં એરફોર્સ રનવે રીપેરીંગ કરી કચ્છ ગુજરાત તેમજ સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું હતું.
1971ના ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુધ્ધમાં દુશ્મન દેશના ઝીંકાતા બોમ્બ વચ્ચે જીવની પરવાહ કર્યા વિના માધાપરની 150 જેટલી વિરાંગનાઓએ દેશભક્તિની અનેરી મિશાલ પૂરી પાડી હતી. 1971 યુધ્ધમાં પાકિસ્તાન સૈન્ય દ્વારા ભુજના એરફોર્સના રનવે પર 18 જેટલા બોમ્બ ફેકતા રન વે તુટી ગયો હતો. 1971 ચાલી રહેલા યુદ્ધ સમયે એરફોર્સ રનવે રીપેરીંગ કરવો ખુબજ જરૂરી હતો. આથી પહેલાતો એરફોર્સના અધિકારીઓ રનવે રીપેરીંગ માટે જામનગર એક કન્ટ્રકશન કંપની સંપર્ક કર્યો હતો.
જામનગર કન્ટ્રકશન કંપનીના માલિકે રનવે રીપેરીંગ કામ અશક્ય હોવાનું જણાવતા તે સમયે તત્કાલીન કચ્છના કલેકટર અને એરફોર્સના અધિકારીઓ માધાપર ગામના સરપંચનો સંપર્ક કર્યો હતો. માધાપર ગામના સરપંચનાં કહેવાથી અંદાજીત 150 વધારે મહિલાઓએ એરફોર્સ રનવે રીપેરીંગ માટે જવાબદારી ઉપાડી લીધી હતી.
1971 યુદ્ધમાં સતત દુશ્મન દેશ પાકિસ્તાન તરફ થતા બોમ્બમારા વચ્ચે જીવની પરવાહ કર્યા વગર સતત ત્રણ દિવસ સુધી કામ કરીને રનવે રીપેરીંગ કરી આપ્યો હતો. આમ માધાપર વિરાંગના 1971 જંગમાં મહત્વ યોગદાન આપી દેશસેવાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
મહિલાઓની બહાદુરીની કાયમી યાદ જીવંત રહે અને આવનારી પેઢીને પણ દેશપ્રેમ અને દેશ માટે કંઇક કરવાની ઇચ્છાઓ પ્રબળ બને માટે માધાપરના પ્રવેશદ્વારે 50 લાખના ખર્ચે વિરાંગના સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે.માધાપરની વિરાંગના રનવે રીપેરીંગ કરી આપતા 1971 યુદ્ધ પરિસ્થિતિ ચિત્ર બદલાયું પાંચમાં દિવસે ભારતે ફરીવાર રનવે પરથી ફાયટર પ્લેન ઉડાનભરી પાકિસ્તાન મુહતોડ જવાબ આપ્યો.
આમ માધાપરની વિરાંગનાઓનું પણ 1971 યુધ્ધમાં ભારતનાં વિજયમાં મહત્વનું યોગદાન રહ્યું છે. 1971 યુદ્ધ સમયે ભારતીય સેનાની મદદ કરીને માધાપર વિરાંગના દેશ સેવાનું ઉતમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે માધાપર વિરાંગનાને સલામ.1971ના યુદ્ધ વખતે ભારતના પશ્ચિમ ભાગમાં વાયુસેનાને કામ આવી શકે એવું એક માત્ર એરપોર્ટ ભુજની ભાગોળે આવેલું હતું. પાકિસ્તાને બરાબર વ્યૂહરચના બનાવી રન-વે પર બોમ્બમારો કર્યો હતો.
આ હુમલાને પાકિસ્તાને ‘ઓપરેશન ચંગીઝખાન’ નામ આપ્યું હતું.ભારત પાસે લડાકુ વિમાન હોય તો પણ નકામાં ઠરે. કેમકે રન-વે વગર ઉડી જ ન શકે. બીજી બાજુ રાતોરાત રન-વે બની ના શકે! અલબત દુનિયાના બીજા કોઇ ભાગમાં આવી ઘટના બની હોત તો ન બની શકે. પરંતુ કચ્છની ખુમારી કંઇક અલગ જ છે. તૂટેલા રન-વેને તત્કાળ રીપેર થઇ શકે તે માટે મોટી સંખ્યામાં કામદારોની જરૂર હતી.
લશ્કર પાસે એટલા માણસો ન હતા અને જે હતા તે બધા યુદ્ધના મેદનામાં હતા. તે વખતે કચ્છના કલેકટર ગોપાલ સ્વામી હતા અને તેમણે સર્વત્ર ફરીને શ્રમદાન માટે લોકોને અપીલ કરી હતી. તેમાં માધાપરની મહિલાઓ સૌથી પહેલા આગળ આવી હતી. 1971નું ભારત-પાકિસ્તાન યુદ્ધ ભુજ માટે પણ કડવી યાદ સમાન છે.
દુશ્મન દેશ દ્વારા 14 દિવસ સુધી હવાઇ હુમલાઓ કરી ભુજ સ્થિત એરસ્ટ્રીપને 35 વખત તોડી પાડવામાં આવી હતી. ત્યારે ભુજ તાલુકાના માધાપરની 300 જેટલી મહિલાઓ રાત-દિવસ સતત 72 કલાક સુધી કામ કરી એરપોર્ટ લડાકુ વિમાન માટે તૈયાર કર્યું હતું. આજે આમાંથી 70 વીરાંગના હયાત છે. જેમાં 35 જેટલી વિદેશમાં છે.
ભારતની પશ્ચિમે આવેલી સરહદને જોડતા કચ્છના આ પ્રદેશમાં 1971ના યુદ્ધની સાયરનો વાગતી હતી. ભારત-પાકિસ્તાનની લડાઇ વખતે ભુજના એરપોર્ટ પર આકાશમાં ચક્કર મારતા દુશ્મન દેશના ફાઇટર વિમાનોએ સતત બોમ્બમારો ચાલુ રાખ્યો હતો. બોમ્બમારા વચ્ચે કઇ રીતે કામ કર્યાની વાત કહી તો મહિલાએ કેવા સંજોગોમાં કામ કર્યું હતું તે વાત કરી હતી.
વાત 1971ની છે. પૂર્વ પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ)માં પશ્ચિમ પાકિસ્તાન (હાલનું પાકિસ્તાન) વિરુદ્ધ જનાક્રોશ ભભૂકવા લાગ્યો હતો. લોકાક્રોશને કાબૂ કરવો પાકિસ્તાનની સરકાર માટે અશક્ય બની રહ્યો હતો.આખરે 25મી માર્ચે પાકિસ્તાનના સૈન્યસરમુખત્યાર યાહ્યા ખાને અંતિમ નિર્ણય લીધો.
તેમણે બાંગ્લા પ્રજાના વિદ્રોહને કચડી નાખવા સૈન્યને છૂટો દોર આપી દીધો.બંગબંધુ શેખ મુજિબુર રહમાનની ધરપકડ કરવામાં આવી અને એ સાથે જ શરણાર્થીઓના ધાડાં ને ધાડાં ભારતમાં ઊતરવાં લાગ્યાં.બાંગ્લા પ્રજા પર જેમજેમ પાકિસ્તાની સૈન્યના અત્યાચારોના સમાચાર આવવા લાગ્યા, તેમ-તેમ ભારત પર સૈન્યહસ્તક્ષેપ કરવા દબાણ વધવા લાગ્યું.
3 ડિસેમ્બર 1971ના રોજ સાંજે 05:40 વાગ્યે પાકિસ્તાની વાયુસેનાનાં સૅબર જેટ અને સ્ટાર ફાઇટર વિમાનો ભારતીય આકાશ પર ગરજવાં લાગ્યાં. પઠાનકોટ, શ્રીનગર, અમૃતસર, જોધપુર અને આગ્રાનાં સૈન્ય હવાઈમથકો પર બૉમ્બ વરસવવા લાગ્યા એટલે ભારત પાસે યુદ્ધમાં ઝંપલાવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ ન રહ્યો.
ભારતની પૂર્વ સરહદે યુદ્ધ ફાટી નીકળ્યું હતું અને ભારતને ભીડવવા પાકિસ્તાને પશ્ચિમ સરહદ પર પણ હુમલો કરી દીધો.પાકિસ્તાનના સૅબર જેટ વિમાનો કચ્છમાં નેપામ પ્રકારનાં બૉમ્બ વરસાવવાં લાગ્યાં. એકલા ભુજના ઍરપૉર્ટ પર 63 બૉમ્બ ફેંકાયા અને રનવેને તહસનહસ કરી નખાયો.
એ વખતે પાકિસ્તાને ભુજ ઍરપૉર્ટ (જે સૈન્ય ઍરબૅઝ પણ હતો)નો રનવે તબાહ કરી નાખ્યો હતો. ઍરસ્ટ્રિપ વચ્ચે મોટો ખાડો પડી ગયો હતો. જો રનવેનું સમારકામ કરવામાં ન આવે તો ભારતીય વિમાનો માટે ઊડવું શક્ય બને નહીં. આ પહેલાં ક્યારેય આવી સ્થિતિ સર્જાઈ નહોતી એટલે આવી પરિસ્થિતિમાં કઈ રીતે કામ લેવું એવો અનુભવ પણ કોઈ પાસે નહોતો.આખરે ભુજ હવાઈમથકના એ વખતના ઍરફોર્સ કમાન્ડર વિજય કર્ણિકે કચ્છ કલેક્ટર પાસે મદદ માગી.
ભારતના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એન. ગોપાલાસ્વામી એ વખતે કચ્છના કલેક્ટર હતા. તેમણે ઍરસ્ટ્રિપના સમારકામ માટે માનવબળ પૂરું પાડવાની જવાબદારી ઉપાડી લીધી.એન. ગોપાલાસ્વામી જણાવે છે, “8મી ડિસેમ્બરની રાતે અને 9મી ડિસેમ્બરની સવારે પાકિસ્તાની વાયુસેનાએ ચાર વખત હવાઈ હુમલા કર્યા હતા અને ઍરસ્ટ્રિપને તબાહ કરી નાખી હતી.
એ વખતના ભુજના ઍરફોર્સ ઇન્ચાર્જ વિજય કર્ણિકે મારી પાસે માનવબળ પૂરું પાડવા મદદ માગી એટલે મેં નજીકમાં આવેલા માધાપર ગામના સરપંચ વી. કે. પટેલને આ અંગે જાણ કરી.સરપંચને જાણ કરી, એના ગણતરીની કલાકોમાં લોકો એકઠા થઈ ગયા. જેમાંથી મહિલાઓને રનવેના સમારકામની કામગીરી સોંપાઈ.”
90 હજારથી વધુ પાકિસ્તાની સૈનિકોએ પૂર્વ સરહદ પર આત્મસમર્પણ કર્યું અને બાંગ્લાદેશ નામે એક નવા રાષ્ટ્રનો પૃથ્વીનાં નકશા પર ઉદય થયો. યુદ્ધ પૂરું થયું, એ વખતે ગુજરાતના રાજ્યપાલ ડૉ. શ્રીમન નારાયણે માધાપરની મુલાકાત લીધી અને તેઓ આ મહિલાઓને રૂબરૂ મળ્યા.
તેમણે ગામના વિકાસ માટે રૂપિયા 50 હજાર પણ આપ્યા, જેમાંથી માધાપર ગ્રામપંચાયત કચેરી ખાતે ‘વીરાંગનાભવન’ તૈયાર કરાયું.માધાપર ગામની મહિલાઓની આ શૌર્ગાથાને એ વખતના ઍર ચીફ માર્શલ પી. સી. લાલે પણ બિરદાવી હતી, તેમણે ભેટ સ્વરૂપે જેટ વિમાનની પ્રતિકૃતિ પણ આપી હતી.
વર્ષ 2015માં એ વખતના કેન્દ્રીય સંરક્ષણમંત્રી મનોહર પરિકર તેમજ કેન્દ્રીય માનવસંસાધન વિકાસમંત્રી સ્મૃતિ ઈરાનીએ માધાપરમાં વીરાંગનાસ્મારક ખુલ્લું મૂક્યું હતું. એન. ગોપાલાસ્વામી આ ઘટનાને યાદ કરતાં જણાવે છે, “કચ્છ ખમીરવંતો પ્રદેશ છે અને એટલે જ મહિલાઓએ કરેલી એ કામગીરી મને બિલકુલ અજુગતી નહોતી લાગી.”