કાચા કેળાના ભાવમાં થયો વધારો,ખેડૂતોને 1 કિલોના મળશે આટલા રૂપિયા.. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
ajab gajab

કાચા કેળાના ભાવમાં થયો વધારો,ખેડૂતોને 1 કિલોના મળશે આટલા રૂપિયા..

ખેડૂતો માટે રાહતના સમાચાર છે. કેળાના ભાવમાં વધારો થતા બારડોલી જિલ્લાના ખેડૂતો ખુશ છે. સુરત જિલ્લાના બારડોલી પંથકમાં કેળાની ખેતી કરતા ખેડૂતોને આ વર્ષે સાનુકૂળ ભાવ મળી રહ્યા છે. જે કેળા પહેલા 7 થી 8 રૂપિયા પ્રતિ કિલો મળતા હતા તે હવે 19 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે.

બારડોલીના સહકારી આગેવાનો માને છે કે કેળાના ઘટેલા ઉત્પાદનથી ભાવમાં વધારો થયો છે.બારડોલી પંથકમાં ખેડૂતોએ શરૂઆતમાં એક હજાર હેક્ટરમાં કેળાનું વાવેતર કર્યું હતું. પરંતુ અચાનક આવેલી કોરોના હોનારતને કારણે કેળાના ભાવમાં એક રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

Advertisement

આવી સ્થિતિમાં કેળાની ખેતીને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું હતું.કોરોનાના સમયગાળા બાદ કેળાની વાવણી પર અસર જોવા મળી હતી. કેળનો છોડ 300 એકર થયો હતો. સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે શેરડી સહિત અન્ય પાકોમાં સરકાર એમએસપી નક્કી કરે છે.

તેવી જ રીતે, ખેડૂત નેતાઓએ માંગ કરી છે કે સરકારે કેળાના પાક માટે પણ ચોક્કસ MSP નક્કી કરવી જોઈએ. હાલમાં જોવા જઈએ તો કેળાંનો એક કિલોનો ભાવ 20 રૂપિયાની આસપાસ પહોંચ્યો છે. સુરત જિલ્લામાં અનેક સહકારી કેળાં મંડળીઓ આવેલી છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો સહકારી મંડળી મારફતે કેળાંનો વેપાર કરતા આવ્યા છે.

Advertisement

જેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના બારડોલી ચોર્યાસી, પલસાણા, કામરેજ અને મહુવા તાલુકાનાં કેટલાક વિસ્તારોમાં ખેડૂતો દ્વારાકેળાંની ખેતી કરવામાં આવે છે. મહત્વની વાત તો એ છે કે અહીંના કેળાંની નિકાસ વિદેશોમાં પણ થાય છે.

જોકે કેળાંની ખેતીમાં ભાવમાં પણ ઉતારચઢાવ હોવાથી ઘણા લાંબા સમયથી ખેડૂતો ખેતી કરતાં અટક્યાં હતા. પરંતુ ચાલુ વર્ષ દરમ્યાન કેળાંની ખેતીમાં ગત મે મહિનાથી જ ભાવ ઊંચા જવાની શરૂઆત થઈ હતી. અને જૂન મહિના દરમ્યાન કેળાના ભાવ ઐતિહાસિક ટોચની સપાટીએ પહોંચ્યા છે. હાલ એક કિલો કેળાંના ભાવ 19.50 રૂપિયા પર પહોંચી ગયા છે.

Advertisement

આ વર્ષ દરમ્યાન કેરીનો પાક ઓછો અને મોડો આવતા મે મહિનામાં કેળાંના ભાવ ઊંચા રહ્યા હતા.હાલમાં સુરત જિલ્લામાં એક હજાર હેકટર જમીનમાં રોપણ સામે માંડ 300 હેકટર સુધી કેળા ની ખેતી થઇ છે, જેના કારણે કેળાંનું ઉત્પાદન ઘટ્યું છે. અને જો આવા ભાવ મળતા રહે તો કેળાની ખેતી કરતાં ખેડૂતોને વધુ પ્રોત્સાહન મળશે તેમજ અન્ય ખેડૂતો પણ કેળાની ખેતી તરફ વળે એવી ખેડૂતો ને આશા દેખાઈ રહી છે.

ગયા વર્ષે કેળાના પાકનું વાવેતર ઓછું થયું હોવાથી તેના ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે. જેને કારણે આ વખતે કેળાંનો ભાવ વધારે મળી રહ્યો છે. ખેડૂતોને કેળાંના સારા ભાવ મળી રહેતા તેમનામાં આનંદની લાગણી જોવા મળી રહી છે. જોકે બે વર્ષ પહેલા લોકડાઉન વખતે ખેડૂતોને ફક્ત 3 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ મળ્યો હતો. ત્યારે ખેડૂતોને મોટી ખોટ સહન કરવાની નોબત આવી હતી.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite