માં મોગલના પરચા અપરંપાર,બીમાર મહિલાને માં મોગલે કરી દીધી સાજી,1 જ કલાક માં માં મોગલે કર્યો ચમત્કાર…
મા મોગલ ધામ ઉપર થી આજ સુધી કોઈ પણ વ્યક્તિ દુઃખી તેને ઘરે આવી નથી અને મોગલ ના દર્શન કરવાથી તમામ લોકોના દુઃખ દૂર થઈ જતા હોય છે અને દૂરથી કબરાઉ કચ્છમાં મોગલ ના દર્શન કરવા માટે હંમેશા શ્રધ્ધાળુઓ આવતા હોય છે.
મા મોગલ ના મંદિરમાં અનેક પરચાઓ આપણે સાંભળ્યા છે અને વર્ષોથી લોકો પોતાના દુઃખ દૂર કરવા માટે માં મોગલ ધામ સુધી આવતા હોય છે માં મોગલ ના મંદિર ના ધામમાં આ દિવસ સુધી અનેક લોકોએ માં મોગલ ના પરચા જોયા છે અને જીવનમાં દુઃખ દૂર થયા છે.
માં મોગલ પૈસાની ભુખી નથી પરંતુ ફક્ત શ્રદ્ધા અને વિશ્વાસની જરૂર છે મનિધર બાપુ નું કહેવું છે કે ફક્ત માં મોગલ ઉપર સાચા દિલથી અને શ્રદ્ધા રાખવાથી તમામ કાર્ય સો ટકા પૂર્ણ થશે અને માં મોગલ ઉપર ચોક્કસ રીતે વિશ્વાસ રાખવો જોઈએ.
મણીધર બાપુ જણાવે છે કે માં મોગલ ને યાદ કરવાથી તમારા સંપૂર્ણ કામ ચોક્કસ રીતે પૂર્ણ થઇ જશે કબરાઉ ખાતે આવેલ મંદિરમાં મણીધર બાપુ બિરાજમાન છે અને મોટી સંખ્યામાં લોકો અહીં દૂર દૂરથી આવતા હોય છે.
મણીધર બાપુ દ્વારા અવાર-નવાર લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે કહેતા હોય છે મણીધર બાપુ નું કહ્યું છે કે ફક્ત માં મોગલ ઉપર શ્રદ્ધા રાખો સંપૂર્ણ કામ ચોક્કસ પૂરા થશે.
થોડા સમય પહેલાં એક યુવતી 30 હજાર રૂપિયા લઈને પોતાના પરિવાર સાથે માં મોગલની માનતા પૂરી કરવા આવી હતી અને માં મોગલ ના દર્શન કર્યા અને મણીધર બાપુને 30 હજાર રૂપિયા આપ્યા અને કહ્યું કે મે રાખેલી મારી માનતા પૂરી થઈ છે તેથી આ રૂપિયા હું આપુ છું.
ત્યારે મણીધર બાપુએ પૂછ્યું શું માનતા હતી ત્યારે યુવતીએ કહ્યું કે છેલ્લા દસ દિવસથી તેની બહેન ખૂબ જ બીમાર હતી અને ઉલટીઓ થતી હતી. તેના શરીરમાં શક્તિ જ બચી ન હતી અને ઘણી દવા કરી પણ અસર કરતી ન હતી. છેલ્લા કેટલાક સમયથી હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તે ખાટલા પરથી ઉભી પણ ન થઈ શકતી.
તેના કારણે આખો પરિવાર ખુબજ ચિંતા માં હતો. ત્યારે તેણે માં મોગલને યાદ કરી અને માનતા રાખી. માનતા રાખ્યા ને એક જ કલાકમાં તેની બહેનને ઉલટીઓ બંધ થઈ ગઈ અને દવા પણ અસર કરવા લાગી. તે થોડી જ વારમાં ખાટલા પરથી ઉભી થઈને ચાલવા પણ લાગી.
ત્યારે તેઓ તરત જ કબરાઉ ધામ આવવા નીકળ્યા. જોકે મણીધર બાપુએ રૂપિયા સ્વીકાર્યા નહીં અને તેને પરત કરી દીધા સાથે જ કહ્યું કે માતાએ તેની માનતા સ્વીકારી છે પણ રૂપિયા કોઈ જરૂર નથી.