પાછલા જન્મમાં કરેલા આ પુણ્યને કારણે આ જન્મમાં માં મળે છે સુખો, દરેક પાસે નથી હોતા…

વર્તમાનમાં આપણને જે સુખ-દુઃખ મળે છે તે પાછલા જન્મના કર્મના આધારે નક્કી થાય છે. ગયા જન્મના કર્મ પ્રમાણે વર્તમાનમાં તમારા ભાગ્યમાં ગર્ભાવસ્થાના સમયે લખાયેલું છે.
ચાણક્ય નીતિ એમ પણ કહે છે કે પાછલા જન્મના ગુણને લીધે આપણને વર્તમાન જીવનમાં ચોક્કસથી કેટલીક વિશેષ વસ્તુઓ મળે છે. ચાણક્ય નીતિના બીજા અધ્યાયના બીજા શ્લોકમાં આચાર્ય ચાણક્યએ છ પ્રકારના સુખ કહ્યા છે જે દરેકને મળતા નથી. આવો જાણીએ ક્યા છે તે 6 પ્રકારના સુખ.
ભોજન. આ શ્લોક દ્વારા ચાણક્યએ કહ્યું છે કે સારું ભોજન મેળવવું એ સારા જીવનની નિશાની છે.ભાગ્યશાળી લોકોને જ સારું ભોજન મળે છે.જે સમયે તમને ખાવાની ઈચ્છા થાય અને મળી જાય તો આનાથી મોટી કોઈ ખુશી ન હોઈ શકે.
પાચન શક્તિ. સારો ખોરાક મેળવવો એ જ બધું નથી. તેને પચાવવાની શક્તિ પણ હોવી જોઈએ. ઘણી વખત આપણને સારું ખાવાનું મળે છે પણ ઈચ્છા હોવા છતાં આપણે તે ખાઈ શકતા નથી. બીમાર વ્યક્તિની જેમ તેની પાચન શક્તિ નબળી હોવાથી તે સારો ખોરાક લઈ શકતો નથી. એ લોકો ભાગ્યશાળી હોય છે જેમની પાસે ભોજન સાથે પચાવવાની ક્ષમતા હોય છે.
જીવનસાથી. સદાચારી જીવનસાથી મળવો એ વર્તમાન જીવનમાં સૌથી મોટી ખુશી છે. જેઓ બુદ્ધિમાન અને સદાચારી જીવનસાથી હોય છે તેઓ ભાગ્યથી ધનવાન હોય છે.શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો પાછલા જન્મમાં સ્ત્રીનું અપમાન કરે છે તેમનું લગ્નજીવન હંમેશા મુશ્કેલીમાં રહે છે.
પૈસાનો યોગ્ય ઉપયોગ. ચાણક્ય કહે છે કે માત્ર ધનવાન હોવું જરૂરી નથી, પરંતુ પૈસાનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તે પણ જાણવું જોઈએ.આ ગુણો એવા લોકોને જ મળે છે જેમણે પૂર્વ જન્મોમાં પુણ્ય કર્યું હોય.
કામ. સુખી દામ્પત્ય જીવન માટે સારી કાર્ય શક્તિ હોવી જરૂરી છે.ચાણક્ય કહે છે કે જે લોકો ભાગ્યશાળી હોય છે તેમને સેક્સ પાવર મળે છે પરંતુ વ્યક્તિએ તેને પોતાના પર હાવી ન થવા દેવી જોઈએ. ચાણક્યનું માનવું છે કે જે વ્યક્તિ કામના નિયંત્રણમાં હોય છે તે ઝડપથી બરબાદ થઈ જાય છે.
દાન. આ કળિયુગમાં ધનવાન લોકોની કમી નથી, પરંતુ દાન આપવાનો સ્વભાવ બહુ ઓછા લોકોમાં હોય છે.ચાણક્ય કહે છે કે આ ગુણ વ્યક્તિમાં પણ પાછલા જન્મના કર્મોના આધારે જોવા મળે છે.