કાકડી અને ટામેટાં એક સાથે ખાવું ખૂબ જ જોખમી છે, જાણો ક્યારે ખાવું જોઈએ

સામાન્ય રીતે ઘણા લોકો ભોજન સાથે અચૂક કચુંબર ખાય છે. તે સ્વાદ તેમજ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે શરીરમાં લોહીની કમી દૂર કરવા ખોરાકને પચાવવામાં, જરૂરી પોષક તત્ત્વોની ઉણપને પરિપૂર્ણ કરવામાં ફાયદાકારક છે.

કચુંબરનું નામ આવતાની સાથે જ તમારા મગજમાં કાકડી અને ટામેટાની છબી જરૂર આવતી હશે. મોટા ભાગના લોકો ખોરાક સાથે કચુંબર તરીકે ટામેટાં અને કાકડી પીરસે છે. પરંતુ, તે સાચું છે? બંનેનું એક સાથે સેવન કરવું જોઈએ, ચાલો આ વિશેની સાચી માહિતી જાણીએ.

Advertisement

ખરેખર, કાકડી અને ટામેટાં બંને સ્વાસ્થ્ય માટે સલાડ તરીકે ખૂબ જ સ્વસ્થ છે. બંનેનો શરીરને જુદી જુદી રીતે ફાયદો થાય છે. જો કે, બંનેને સાથે ખાવા તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે. તે શરીર માટે હાનિકારક પણ હોઈ શકે છે.

પાચનતંત્રને નુકસાન

નિષ્ણાતોના મતે બંનેનું એક સાથે સેવન કરવાથી તમારા પાચનતંત્રને નુકસાન થાય છે. આમ તો, ઘણા અભ્યાસોમાં તે સાબિત થયું છે કે ટામેટાં અને કાકડીનું મિશ્રણ આરોગ્ય માટે ફાયદાકારક છે. પરંતુ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, કાકડી-ટમેટાંને એક સાથે ખાવાથી પેટની સમસ્યાઓ જેવી કે, ગેસ, પેટમાં દુ:ખાવો, ઉબકા, થાક અને અપચો વગેરે થઈ શકે છે.

Advertisement

ખરેખર, આ પાછળનું કારણ બંનેનું અલગ લક્ષણ છે, હા! કાકડી પેટમાં ઝડપથી પચી જાય છે જ્યારે ટમેટાના બીજ પચવામાં વધુ સમય લે છે. આ જ કારણ છે કે બંનેના સેવનથી પેટમાં એસિડ બનવા લાગે છે. જે પાછળથી સોજા માટેનું કારણ પણ બની શકે છે. પેટની અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે.

રાયતા માટે ટમેટાં સાથે દહીંનું મિશ્રણ પણ ખૂબ જોખમી

Advertisement

કેટલાક લોકો ટમેટાની સાથે માત્ર કાકડી જ નહીં પરંતુ દહીંનું પણ સેવન કરે છે. સામાન્ય રીતે રાયતું બનાવતાં સમયે બંનેના કોમ્બિનેશનને ખાવાનું પસંદ કરવામાં આવે છે. આ મિશ્રણ આરોગ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

કચુંબર ખાવું ક્યારે છે યોગ્ય?

Advertisement

લોકો સામાન્ય રીતે ભોજન પહેલાં અથવા પછી સલાડ ખાય છે. જો કે, તમને જણાવી દઈએ કે કચુંબરને ન તો ભોજન પહેલાં ખાવું જોઈએ કે ન તો ભોજન કર્યા પછી, પરંતુ તેને ખોરાકની સાથે ખાવું આરોગ્યપ્રદ માનવામાં આવે છે અને તે યોગ્ય સમય પણ છે. આમ કરવાથી સરળતાથી ખોરાક પચી જાય છે.

Advertisement
Exit mobile version